સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલ પેપરલીકના 35 દિવસ બાદ હજુ કોઈ પણ કાર્યવાહી કે ફરિયાદ ન થતા આજે યુથ કોંગ્રેસ અને NSUI ડેલિગેશન દ્વારા કુલપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લેખિત ફરિયાદ કરવાની માગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદ ન કરી શકતા સત્તાધિશોને બંગડી પહેરવા આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. જો કે આવતીકાલે પોલીસ ફરિયાદ કરવાની યુનિવર્સિટી દ્વારા લેખિત બાહેંધરી આપવામાં આવી છે.


કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશોને અમે આજે પેપરલીક મામલે ઉગ્ર રજુઆત કરી છે. 35 દિવસ બાદ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. માટે આજે અમારી એક સ્પષ્ટ માગણી હતી કે, કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી આ મામલે ફરિયાદ દાખલ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે. જો કોઈ સત્તાધિશો ફરિયાદ કરતા અચકાતા હોય, કોઈને ડર લાગતો હોય તો તેઓ બંગડી પહેરી લે તેવું કહી બંગડીઓ અર્પણ કરી વિરોધ નોંધાવ્યો છે. જો કે, એક કલાકની ઉગ્ર રજુઆત બાદ આવતીકાલે ફરિયાદ કરવામાં આવશે તેવી લેખિત બાહેંધરી કુલપતિ અને સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાના પેપરલીક જેવી ગંભીર ઘટનામાં 35 દિવસ વીત્યા પછી કોઈ કાર્યવાહી ન થાય તો સ્વાભાવિક વિપક્ષ તરીકે વિદ્યાર્થી હિત અર્થે ઘટતું કાંઈ પણ કરવાનું જ હોય. અગાઉ કુલપતિ તેમજ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. પરંતુ પોલીસ કમિશનરે પ્રત્યુત્તર આપતા ખૂબ સ્પષ્ટ કહ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધિશો ફરિયાદ દાખલ કરવા માગતા હોય તો પોલીસ ફરિયાદ પહેલા લેવા પણ તૈયાર હતી અને અત્યારે પણ તૈયાર જ છે. કોઈ ફરિયાદી જ ના બને તો પોલીસ કઈ રીતે ફરિયાદ દાખલ કરે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow