Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🪙 Business

મોંઘીદાટ ચાંદીએ હજારો કારીગરોની રોજીરોટી છીનવી

Gujaratnow2 min read
મોંઘીદાટ ચાંદીએ હજારો કારીગરોની રોજીરોટી છીનવી

વિશ્વ વિખ્યાત બનેલા રાજકોટના સિલ્વર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર હાલ મંદીનો ખુબ મોટો માર પાડ્યો છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઈશ્યુના કારણે બુકીયન માર્કેટમાં સતત ચાંદીના ભાવમાં થતા વધારાથી આજે રાજકોટના નાના-મોટા 1000થી વધુ કારખાના બંધ મૃતપાય હાલતમાં એટલે કે પાછલા વર્ષોમાં જે કામ કરતા એનું 5થી 10% જ કામ થઇ રહ્યું છે. રાજકોટના વેપારીઓને ગુજરાત બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી ચાંદીના દાગીના બનાવવા કામ મળતું હતું જે પણ સાવ બંધ થઇ જતા રાજકોટની સામા કાંઠા વિસ્તારમાં આવેલ ચાંદી મેન્યુફેક્ચરિંગ યુનિટના હજારો કારીગરો બેરોજગાર બન્યા છે.

સામાન્ય રીતે દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે, પરંતુ હાલની સ્થિતિની વાત કરવામાં આવ તો ચાંદીના ભાવમાં જે વધારો બે ત્રણ વર્ષનો એકસાથે આવતો તે ભાવ વધારો એક દિવસની મૂવમેન્ટમાં જોવા મળી રહ્યો છે. એટલે કે ચાંદીના ભાવમાં માત્ર એક જ દિવસની અંદર 25થી 30 હજાર રૂપિયા સુધીની મુવમેન્ટ જોવા મળતી હોય છે. ગત 23 જાન્યુઆરીના રોજ 3.27 લાખથી લઇ અને હાઈએસ્ટ 3.40 લાખ સુધી ભાવ વધઘટ દિવસ દરમિયાન નોંધાયો હતો. છેલ્લા એક જ મહિનાની અંદર ચાંદીમાં 44% જેટલો વધારો નોંધાયો છે જે ખુબ જ વધુ છે. માટે હવે વેપારીઓ પણ ભાવમાં ઘટાડો આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ ભાવ વધારાથી ધંધામાં ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં લગભગ 1000થી વધુ નાના મોટા કારખાના આવેલા છે. જેમાં બેથી અઢી લાખ જેટલા લોકો સીધા કે આડકતરી રીતે ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ ચાંદીના વધતા ભાવને કારણે રિટેલ અને હોલસેલ વેપારીઓ તરફથી માત્ર જરૂર પૂરતી જ ખરીદી થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી ચાંદીના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે પાછલા વર્ષ 2025માં નવરાત્રી બાદથી વેપારીઓ અને કારીગરોને કામ ન મળતા કામ વગર બેસી રહેવાની સ્થિતિ ઉદભવી છે.

Gujaratnow2 min read

Related News