8 ભવનમાં 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી નિમણૂક!

8 ભવનમાં 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી નિમણૂક!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 8 જુદા જુદા ભવનમાં 12 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરોની કાયમી ભરતી સત્તાધીશોએ ઝડપથી પૂર્ણ કરી સિલેક્શન પણ કરી લીધું છે. 27થી 29 માર્ચ સુધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ 29મીએ સવારે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થઇ અને સાંજે જ તાકીદે સિન્ડિકેટની મિટિંગ કુલપતિએ બોલાવી માર્કના બંધ કવર ખોલીને જુદા જુદા ભવનમાં લાયક ઉમેદવારોની પસંદગી કરી હતી. કેટલાક ઉમેદવારોને તો સવારે ઇન્ટરવ્યૂ હતા અને સાંજે તેમની પસંદગી થઇ ગઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ 2019માં જાહેરાત બહાર પાડેલી આ ભરતી છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી થઇ શકી ન હતી અંતે ત્રણ દિવસ સુધી ઇન્ટરવ્યૂ લેવાયા બાદ એકપણ દિવસનો વિલંબ કર્યા વિના બુધવારે સાંજે સિન્ડિકેટની મિટિંગમાં ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન કરી દેવાયું હતું.

આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં મહત્ત્વની બાબત એ રહી હતી કે, ઉમેદવારોનો એકેડેમિક સ્કોર ઊંચો હોય તો પણ ઇન્ટરવ્યૂમાં તે કામ લાગ્યો ન હતો. ઇન્ટરવ્યૂના ગુણના આધારે જ સિલેક્શન કરાયું હોવાની સર્જાઈ હતી. કારણ કે કેટલાક ઉમેદવારોનો એકેડેમિક સ્કોર સૌથી વધુ હતો છતાં તેઓ પસંદગી પામ્યા ન હતા અને કેટલાક ઉમેદવારોનો એકેડેમિક સ્કોર સૌથી નીચો હોવા છતાં તેમની પસંદગી થઇ હતી. કેટલાક ભવનમાં ઉમેદવારની પસંદગીમાં ભલામણ ચાલી હતી તો કેટલાક ભવનમાં નક્કી કરાયેલા ઉમેદવારને પસંદ કરવા ગોઠવણ તો કરી હતી પરંતુ અંતે તે વિખાઇ ગઈ હતી. બાબાસાહેબ આંબેડકર ચેરમાં રિસર્ચ ઓફિસરની ભરતીમાં કુલપતિની કોલેજના પ્રિન્સિપાલની પસંદગી થઇ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow