રાજકોટ દક્ષિણ બેઠક પર કડિયા સમાજ પછી માલધારીઓમાં રોષ

રાજકોટ દક્ષિણ બેઠક પર કડિયા સમાજ પછી માલધારીઓમાં રોષ

રાજકોટની દક્ષિણ બેઠક પર કડિયા સમાજ પછી માલધારી સમાજ ભાજપ વિરૂદ્ધ રોષે ભરાયો છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, માલધારીઓ સાથે આતંકવાદી જેવું કૃત્ય કરવામાં આવે છે. ગાયના માલિક અને ગાયને મારવામાં આવે છે. આથી માલધારી સમાજે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. રાજકોટમાં ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા લોકોને બુધવારે રજા હોય છે. પરંતુ ચાલુ અઠવાડિયામાં ગુરૂવારે મતદાન હોય લોકો બુધવારે કામ ચાલુ રાખશે અને ગુરૂવારે રજા રાખશે. આ અંગેનો નિર્ણય ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશને જાહેર કર્યો છે.

માલધારી સમાજના અગ્રણી રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર 70 લાખથી વધુ માલધારી સમાજના લોકો વસે છે. આ સરકારે ગાયના નામે મત લઈને ગાયને જ મારી. ગાયના જ દીકરા એવા માલધારી સમાજના 20 લોકોને પાસા કરવામાં આવ્યા, બે યુવાનને સજા કરી. આ આતંકવાદી છે, આ ગાય છે. કોર્પોરેશનના કર્મચારીઓ ગાયને લઈને માલધારી સમાજના લોકો પર અત્યાચાર કરે છે. ગુજરાતની અંદર સમસ્ત માલધારી સમાજે નક્કી કર્યું છે કે, જેમ અમને માર્યા છે તેમ અમે તમને મતદાનથી મારીશું.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow