Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રાજકોટમાં ગુટકા મોંમાં રાખીને સૂવાની ટેવ ધરાવતી મહિલાનું એટેકથી મોત

Gujaratnow1 min read
રાજકોટમાં ગુટકા મોંમાં રાખીને સૂવાની ટેવ ધરાવતી મહિલાનું એટેકથી મોત

ગુરૂવારે રાત્રે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, સતત ગુટકાનું સેવન કરતી એક મહિલા રાત્રે મોંમાં ગુટકા મસાલો રાખીને ઊંઘવાની ટેવ ધરાવતી હતી. આ મહિલાનું રાત્રીના બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું તે બેભાન થઇ ત્યારે પણ તેના મોંમાં મસાલો હતો.

શહેરના લાતીપ્લોટમાં રહેતી લક્ષ્મીબેન અરવિંદભાઇ યાદવ નામની 30 વર્ષની મહિલા ગુરૂવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. મૃતક લક્ષ્મીબેનના પતિ અરવિંદ યાદવે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે ઉત્તરપ્રદેશનો વતની છે,

તેની પત્નીને અગાઉ બે વખત મીસડિલિવરી થઇ ગઇ હોવાથી સંતાનો નથી. પત્ની લક્ષ્મીબેનને ગુટકા મસાલો ખાવાની કૂટેવ હતી અને તે રાત્રે પણ મસાલો મોંમાં ભરીને સૂતી હતી. ગુરૂવારે રાત્રે બારેક વાગ્યે તે પાણી પીવા માટે નિંદ્રામાંથી ઊઠી હતી અને પાણી પીવા જતાં તે વાસણ પર પટકાઇ હતી અને બેભાન થઇ ગઇ હતી તે વખતે પણ તેના મોંમાં ગુટકા મસાલો ભર્યો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. હાર્ટ એટેકથી મહિલાનું મૃત્યુ થયાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું હતું, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

Gujaratnow1 min read

Related News