Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

10 મહિનાની દીકરી પિતા વિહોણી બની

Gujaratnow2 min read
10 મહિનાની દીકરી પિતા વિહોણી બની

રાજકોટના કોઠારીયાથી ખોખડદળના રસ્‍તે સીએનજી પંપ પાસે આઇસર પર બેઠેલા યુવાનને વૃક્ષની ડાળી અથડાઇ હતી. બાદમાં યુવાન ફેંકાઇને નીચે પટકાતા મોત નીપજ્યું હતું. કરૂણતા એ હતી કે, આઇસર આ યુવાનના મોટા ભાઇ ચલાવી રહ્યા હતાં અને ઘરનો સામાન મુકવા વડાળી ગામે જઇ રહ્યા હતા. આ બનાવમાં આજીડેમ પોલીસે મૃતકના પિતા લખધીરસિંહ સાહેબજીસિંહ જાડેજાની ફરિયાદને આધારે આઇસરના ચાલક તેના જ મોટા પુત્ર યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનો નોંધ્‍યો છે. ઉલ્લેખનીય છે કે મૃતકને સંતાનમાં 10 મહિનાની દીકરી છે.

ઘરનો સામાન ભરી આઇસર સાથે વડાળી ગામે જતા હતા
લખધીરસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, બુધવારે સાંજે હું ઘરે હતો ત્‍યારે અમારી બાજુમાં આવેલા આશીર્વાદ ટ્રાન્‍સપોર્ટવાળા બહાદુરભા માંજરીયાનો આઇસર ટ્રક મારો પુત્ર યુવરાજસિંહ લઈ આવ્યો હતો. તેમાં અમારો ઘરનો સામાન ભરી તે વડાળી ગામે મૂકવા ગયા હતાં. મારા દીકરા યુવરાજસિંહ સાથે ભાર્ગવ સોલંકી આગળની કેબીનમાં બેઠો હતો. જ્‍યારે પાછળના ભાગે સામાન ઉપર નાનો દીકરો જયરાજસિંહ (ઉં.વ.24) બેઠો હતો. તેની સાથે પડોશી અરશીલ કુરેશી પણ પાછળ બેઠો હતો.

આઇસર સ્પીડમાં હતી
સાંજે સાડા સાતેક વાગ્‍યે મોટા દીકરા યુવરાજસિંહે મને ફોન કરી જાણ કરી હતી કે, કોઠારીયાથી ખોખડદળ ગામ તરફ જતાં સીઅનેજી પંપ પાસે મેં ગાડી થોડી સ્‍પીડથી ચલાવતાં નાનો ભાઇ જયરાજસિંહ સામાન પર બેઠો હોઇ તેના માથામાં ઝાડની ડાળી ભટકાતાં તે રોડ પર ફંગોળાઇ જતાં માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ છે. તે બેભાન થઇ ગયો છે.

આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ સાંભળી હું તથા અમરદિપસિંહ કાર લઇને પહોંચ્‍યા હતાં અને પુત્ર જયરાજસિંહને સિનર્જી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ ત્‍યાં તેનું મૃત્‍યુ નીપજ્‍યું હતું. આજીડેમ પોલીસ મથકના PSI એ.એમ. મહેતાએ વધુ કાર્યવાહી કરી હતી.

પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો
મૃત્‍યુ પામનાર યુવરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં સૌથી નાના હતાં અને પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તે બેંક કલેક્‍શનનું કામ કરતાં હતાં. સંતાનમાં દસ મહિનાની દીકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં અને પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો છે.

Gujaratnow2 min read

Related News