Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
election2022

રાજકોટમાં રાહુલ ગાંધીની સભાની તૈયારી

Gujaratnow2 min read
રાજકોટમાં રાહુલ ગાંધીની સભાની તૈયારી

21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં જોવા મળ્યા તેમાં કહીશ કે, આ યાત્રામાં કોઈ પણ જોડાઇ શકે છે, તેમના પર કોઈ પ્રતિબંધ રાખી ન શકાય. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા મુદ્દા લાવે છે.

રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, 21 નવેમ્બરે રાજકોટ અને મહુવામાં રાહુલ ગાંધી સભા કરશે. એક બાદ એક 22 પેપર લીક થયા છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતની જનતાને કોરોનાથી બચાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી સહિત પૂરેપૂરી સરકાર બદલવી પડી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં 70 લોકો ઝેરી દારૂ પીને મર્યા છે. ગુજરાતમાં એક પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે. મોરબીની ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી. સીટીનું ગઠન કરીને મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં નીકળ્યા હતા. 2000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. ગુજરાતમાં બેરોજગારી અને મોંઘવારી છે.

Gujaratnow2 min read

Related News