રાજકોટમાં મહિલા કેબિનેટ મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાએ શપથ લીધા

રાજકોટમાં મહિલા કેબિનેટ મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાએ શપથ લીધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો મંત્રીમંડળના શપથ લીધા છે. જેમાં રાજકોટ જિલ્લાના 8 પૈકી 2 ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયાએ એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જો કે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રી મંડળમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયાની નવા મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે. જ્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક પરની માન્યતા આ વખતે ખોટી પડી છે.

બીજી બાજુ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક કે જેને શુકનવંતી માનવામાં આવે છે અને અહીંથી ચૂંટાઈને ધારાસભ્ય બને તે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કરે છે આ માન્યતા આ વર્ષે ખોટી સાબિત થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પહેલી ચૂંટણી અહીંથી લડી મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી 2012ની પેટા ચૂંટણી અને 2017ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાઇને મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ આ બેઠક પરથી ચૂંટાઇને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વર્ષે ડો.દર્શિતાબેન શાહે અત્યારસુધીની સૌથી વધુ 1.05 લાખની લીડ મેળવી છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થયું નથી અને બેઠક પરની માન્યતાને રોક લગાવી દેવામાં આવી છે.

મંત્રીમંડળના શપથ લેવાની કલાકો પહેલા એટલે કે ગત રાતે કુંવરજી બાવળિયા અને ભાનુબેન બાબરિયાને ફોન કરી તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે કે એક ચર્ચા હતી કે, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ અને જેતપુર બેઠક પર જંગી લીડ સાથે વિજેતા બનેલા જયેશ રાદડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે. પરંતુ તેમની બાદબાકી કરવામાં આવી છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow