ભારતે આયર્લેન્ડ સામે સતત ત્રીજી T20 શ્રેણી જીતી

ભારતે આયર્લેન્ડ સામે સતત ત્રીજી T20 શ્રેણી જીતી

ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે T20 સિરીઝ જીતી લીધી છે. ટીમે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ 33 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમે બાઇલેટરલ સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 23 ઑગસ્ટે રમાશે.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતે ડબલિનના ધ વિલેજ સ્ટેડિયમમાં 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયરિશ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી.

આયર્લેન્ડ તરફથી એન્ડ્રુ બલબિર્નીએ 72 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટર ચાલ્યો નહતો. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. તો અર્શદીપ સિંહને 1 સફળતા મળી હતી.

આઇરિશ ઓપનર એન્ડ્રુ બલબિર્નીએ T20 ઈન્ટરનેશનલમાં 2 હજાર રન પૂરા કર્યા. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે બીજો આયરિશ બેટર બની ગયો છે. બાલબિર્નીએ ઇનિંગ્સનો 31મો રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.

પાવરપ્લેમાં આયર્લેન્ડને 3 ફટકા પહોંચ્યા
186 રનના વિશાળ લક્ષ્યાંકને ચેઝ કરતા આયર્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર 6 ઓવરમાં 31 રન હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow