ફીફા વર્લ્ડ કપના બહાને ઈસ્લામિક પ્રચાર કરશે!

ફીફા વર્લ્ડ કપના બહાને ઈસ્લામિક પ્રચાર કરશે!

ભારતમાં મની લોન્ડરિંગ અને દ્વેષપૂર્ણ ભાષણ આપનાર આરોપી ઝાકિર નાઈકને કતાર સરકારે ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન ઈસ્લામિક ઉપદેશ આપવા માટે આમંત્રણ આપ્યું છે. ધરપકડના ડરથી ફરાર થનાર નાઈક ઈન્ડોનેશિયાથી સંગઠન ચલાવી રહ્યો છે. કતારના સરકારી સ્પોર્ટ્સ ચેનલ અલકાસ માટે ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અલ્હાજરીએ જણાવ્યું હતું કે નાઈક ફૂટબોલ ચાહકોને ઉપદેશ આપશે.

પહેલીવાર મુસ્લિમ દેશમાં થઈ રહ્યું છે. નિષ્ણાતો આને ઈસ્લામિક પ્રચારના રૂપમાં જોઈ રહ્યા છે. કતારે જ વિવાદાસ્પદ ભારતીય ચિત્રકાર એમએફ હુસેનને શરણ આપી હતી. નૂપુર શર્મા વિવાદમાં વિરોધ કરનારા દેશોનું સ્વયંભુ નેતૃત્વ કતાર કરી રહ્યું હતું. થોડા દિવસ પહેલા કતાર સરકારે 558 ફૂટબોલ ચાહકોના ઈસ્લામ ધર્મ અપનાવવાનો પ્રચાર કર્યો હતો.

ભારતીય ગૃહ મંત્રાલયે 17 નવેમ્બરના રોજ ઝાકિર નાઈકના NGO ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો, જે 17 નવેમ્બરે સમાપ્ત થવાનો હતો. પ્રતિબંધ સમાપ્ત થવાના દિવસે સરકારે પ્રતિબંધની સમય મર્યાદા વધારીને 5 વર્ષ વધારી દીધી છે. એટલે હવે 2026 સુધી ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ લાગેલો રહેશે.

સરકારે પ્રતિબંધ વધારવા પાછળ કહે છે કે, ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન એવી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે જે દેશની સુરક્ષા માટે જોખમ છે. તેનાથી દેશની શાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને બિનસાંપ્રદાયિકતા જોખમાય છે. સાથે જ ગૃહ મંત્રાલયે કહ્યું કે નાઈકના નિવેદનો વાંધાજનક અને વિધ્વંસક છે અને તેના દ્વારા તે ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહ્યો છે. નાઈક ​​ભારત અને વિદેશમાં ચોક્કસ ધર્મના યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યો છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow