કેનેડિયન પાસપોર્ટધારકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ

કેનેડિયન પાસપોર્ટધારકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ

કેનેડા સરકારે 20 ડિસેમ્બર 2022થી કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો માટે ઈ-વિઝા સુવિધા પુનઃ શરૂ કરી દીધી છે. આ સાથે જ જે કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો પ્રવાસન, બિઝનેસ, મેડિકલ કે પરિષદ જેવા હેતુઓથી ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે તોએ ઈ-વિઝા માટે http://indianvisaonline.gov.in/evisa/tvoa.html પર અરજી કરી શકે છે અને તેમાં જણાવેલી સૂચનાઓને અનુસરે. આ માહિતી ઓટ્ટાવા સ્થિત ભારતીય રાજદૂતાવાસે જારી કરી છે.

કેનેડિયન પાસપોર્ટ ધરાવતા એવા લોકો કે જેઓ ભારતની મુલાકાત કોઈ હેતુ માટે લેવા માગે છે પણ ઈ-વિઝા માટે ક્વોલિફાઈ નથી તો તેઓ http://www.blsindia-canada.com/ પર પેપર વિઝા માટે અરજી કરી શકે છે.

આ ઉપરાંત જે લોકોએ કેનેડામાં વિવિધ બીએલએસ સેન્ટર્સ દ્વારા વિઝા માટે અરજી કરી છે તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ વિઝા ઈસ્યુ થવાની રાહ જૂએ. આવી તમામ અરજીઓનો પ્રાથમિકતાથી નિકાલ કરવામાં આવશે. જે અરજદારો પોતાના જે-તે વિઝાની અરજીઓ પરત ખેંચવા માગે છે તેઓ એ માટે વેબસાઈટ http://www.blsindia-canada.com/ ની મુલાકાત લઈને ‘એપ્લિકેશન વિથડ્રોઅલ’ વિકલ્પ પસંદ કરી શકે છે.

કેનેડામાં જે લોકો બીએલેસ સેન્ટર્સ પર પ્રવાસ, બિઝનેસ, મેડિકલ કે કોન્ફરન્સ વિઝા માટે અરજી કરવા અપોઈન્ટમેન્ટ બૂક કરાવી છે તેઓ હવે ઈ-વિઝા માટે અરજી કરી શકે છે. આ રીતે તેમના અપોઈન્ટમેન્ટ સ્લોટ્સ ખાલી/રદ થવાથી એ સ્લોટ્સ અન્યોને વિઝા/કોન્સુલર સેવાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow