Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
world

અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમરના 2.6 કરોડ લોકો એકલા રહે છે!

Gujaratnow1 min read
અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમરના 2.6 કરોડ લોકો એકલા રહે છે!

અમેરિકામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 2.6 કરોડ લોકો એકલા રહે છે. તેમની સાથે કોઇ પરિવારજન કે કોઇ મિત્ર પણ રહેતું નથી. વર્ષ 2000માં થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના 1.5 કરોડ લોકો એકલા જ રહે છે.

પહેલાની તુલનામાં હવે છૂટાછેડા લેનારા, વિધ્વા-વિધૂર અને અપરિણીત લોકોની સંખ્યા પણ વધી રહી છે, જેને કારણે એકલતા જીવન વિતાવતા લોકોની સંખ્યા વધી છે. આ વધતી સંખ્યા ચિંતાનો વિષય બની છે.

તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર એકલા રહેતા વૃદ્વ શારીરિક અને માનસિક રીતે પરેશાન રહે છે. જ્યારે અપરિણીત અને સંતાન ન ધરાવતા વૃદ્વોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. 52 વર્ષીય કે.જે. માઇલ્સે મરજી મુજબ જીવન જીવવા માટે લગ્ન કર્યા નથી, પરંતુ હવે વૃદ્વ થવાનો ડર સતાવે છે. એકલા રહેનારા લોકોમાં મહિલાઓની સંખ્યા વધુ છે.

Gujaratnow1 min read

Related News