કર્ણ હોસ્પિટલમાં મા-દીકરી મર્ડર કેસમાં મોટો ધડાકો, આરોપી ગે નીકળ્યો, મૌજશોખ માટે કરતો ગંદા કામ

કર્ણ હોસ્પિટલમાં મા-દીકરી મર્ડર કેસમાં મોટો ધડાકો, આરોપી ગે નીકળ્યો, મૌજશોખ માટે કરતો ગંદા કામ

અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વધુ એક હડકંપ માચાવતો ખુલાસો થયો છે. ફિલ્મી ઢબે હત્યાકાંડ રાચાયાનું બહાર આવ્યું છે અને આ હત્યા લૂંટ માટે થઈ હોવાનો પર્દાફાશ થયો છે.મોજ સોખમાં બેફામ રૂપિયા ઉડાવ્યા બાદ આરોપી મનસુખ દેવાના ડુંગરમા દબાઈ ગયો હતો. જેમાંથી બહાર નીકળવા તેણે  લૂંટનું ષડયંત્ર રચ્યુ હોવાનું બહાર આવ્યું છે. આરોપી મનસુખએ સારવાર અર્થે આવેલી યુવતીને એનેથીસિયાનો ઓવર ડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ યુવતી બાદ તેની માતાને પણ ઇન્જેક્શન આપ્યું હતું. જેથી તેનું પણ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ 3 માસ પહેલા પણ એક મહિલાનો આ પ્રકારે મૃતદેહ મળ્યો હતો. જેથી મનસુખ સામે શંકાની સોઈ તણાઈ રહી છે.

આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું

પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું. જેથી મૃતક મહિલાના દાગીના ઓળવી જવાના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતક મહિલાઓના શરીર પરથી દાગીના પણ ગાયબ છે.

બેડ નીચેથી માતાનો પણ મૃતદેહ મળ્યો હતો

મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું છે. જે આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવતી હતી. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનની મૃતદેહ કબાટમાં મુકવામાં આવ્યો હતો. અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં હોસ્પિટલની બહારના CCTV મળ્યા હતા જેમાં ભારતી પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. પોલીસે તેની માતા ની શોધખોળ કરતા તેનો મૃતદેહ પર હોસ્પિટલમાં બેડ નીચે છુપાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ડબલ મર્ડર કેસમાં પોલીસે ગુનો નોંધીને મૃતદેહનો પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે માતા પુત્રીની હત્યા એનેશથેસિયાના ઓવર ડોઝ આપીને કરવામાં આવી હતી અને હત્યા મનસુખ નામના હોસ્પિટલના કમ્પાઉન્ડરએ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હત્યા પાછળ અનૈતિક સંબધ છે કે કોઈ અન્ય કારણ તેની તપાસ ચાલી રહી છે.

આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર

મૃતક ભારતી વાળાના લગ્ન ચાર વર્ષ પહેલાં બહેરામપુરાના લક્ષમણ વાળા સાથે થયા હતા.. બન્નેને સંતાન નથી. પરંતુ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતા 6 માસ પહેલા ભારતી રિસાઈને પિયર શાહવાડી આવી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભારતીના કાનના પરદાની દવા ડો અર્પિત શાહની હોસ્પિટલમાં ચાલતી હતી. ભારતી સવારે 9 વાગે માતા સાથે હોસ્પિટલમાં આવી હતી.. અને 9.30 થી 10.30 સુધી હોસ્પિટલ ના CCTV બંધ રાખવામાં આવ્યા હતા. આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર થાય છે. આ ઘટનાથી પરિવારે આક્રંદ સાથે રોષ વ્યકત કર્યો હતો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow