Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
world

7 મહિના બાદ કિવ પર રશિયાનો મિસાઇલ હુમલો

Gujaratnow1 min read
7 મહિના બાદ કિવ પર રશિયાનો મિસાઇલ હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 48 કલાકમાં યુક્રેન દ્વારા કર્ચ બ્રિજને ઉડાવી દેવાનો બદલો લીધો છે. સોમવાર સવારથી રશિયા તરફથી યુક્રેન પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વિસ્ફોટોમાં યુક્રેનનો પાર્કોવી બ્રિજ પણ ધ્વસ્ત થઈ ગયો છે. આ પુલ પદયાત્રીઓ માટે બનાવવામાં આવ્યો હતો.

ખરેખર શનિવારે યુક્રેને રશિયાને ક્રિમિયાથી જોડતો કર્ચ રેલવે બ્રિજને ઉડાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, શનિવારે સવારે 6 વાગે બ્રિજમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ પુલને ક્રિમિયા પર રશિયાના કબજાના પ્રતીક તરીકે જોવામાં આવતો હતો.આ પછી જ પુતિને યુક્રેનની રાજધાની પર ફરી હુમલો કર્યો છે.

રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થયાને 7 મહિના થઈ ગયા છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધની શરુઆતમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે કિવની સેના અને નાગરિકો તરફથી ભારે ટક્કર મળ્યા બાદ એપ્રિલમાં રશિયાએ કિવમાંથી પોતાની સેના પરત બોલાવવાનું શરૂ કરી દીધું હતું. હવે ફરી એકવાર રશિયાએ કિવ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. સોમવારે સવારથી જ કિવ પર રશિયન રોકેટોનો બોમ્બમારો થઈ રહ્યો છે.

Gujaratnow1 min read

Related News