7 મહિના બાદ કિવ પર રશિયાનો મિસાઇલ હુમલો

7 મહિના બાદ કિવ પર રશિયાનો મિસાઇલ હુમલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 48 કલાકમાં યુક્રેન દ્વારા કર્ચ બ્રિજને ઉડાવી દેવાનો બદલો લીધો છે. સોમવાર સવારથી રશિયા તરફથી યુક્રેન પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વિસ્ફોટોમાં યુક્રેનનો પાર્કોવી બ્રિજ પણ ધ્વસ્ત થઈ ગયો છે. આ પુલ પદયાત્રીઓ માટે બનાવવામાં આવ્યો હતો.

ખરેખર શનિવારે યુક્રેને રશિયાને ક્રિમિયાથી જોડતો કર્ચ રેલવે બ્રિજને ઉડાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, શનિવારે સવારે 6 વાગે બ્રિજમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ પુલને ક્રિમિયા પર રશિયાના કબજાના પ્રતીક તરીકે જોવામાં આવતો હતો.આ પછી જ પુતિને યુક્રેનની રાજધાની પર ફરી હુમલો કર્યો છે.

રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થયાને 7 મહિના થઈ ગયા છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધની શરુઆતમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે કિવની સેના અને નાગરિકો તરફથી ભારે ટક્કર મળ્યા બાદ એપ્રિલમાં રશિયાએ કિવમાંથી પોતાની સેના પરત બોલાવવાનું શરૂ કરી દીધું હતું. હવે ફરી એકવાર રશિયાએ કિવ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. સોમવારે સવારથી જ કિવ પર રશિયન રોકેટોનો બોમ્બમારો થઈ રહ્યો છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow