ધોરાજીમાં વાહનો ખોટી રીતે ડિટેન કરાતાં ઝાંઝમેર બંધ

ધોરાજીમાં વાહનો ખોટી રીતે ડિટેન કરાતાં ઝાંઝમેર બંધ

ધોરાજી પોલીસની કારણ વગરની કનડગત અને ઘોંચપરોણાના લીધે વિરોધમાં ઝાંઝમેર ગામના લોકોએ અગાઉ કરેલી જાહેરાત મુજબ જ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને મામલો ગરમાય અને નાના મોટા કોઇ છમકલાં થાય તે પહેલાં જ જેતપુર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઝાંઝમેર દોડી ગયો હતો અને દરમિયાનગીરી કરી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

ઝાંઝમેર ગામે પોલીસ દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેઇન કરીને કરાતી હેરાનગતિ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત કરવાનું નક્કી કર્યા બાદ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી અને સરપંચ સાથે મળી ગામ બંધ રાખવાનું એલાન અપાયું હતું અને તેનો શુક્રવારે ગામલોકોએ અમલ કર્યો હતો. જો કે લોકોનો આક્રોશ જોઇ ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને લોકોની રજૂઆતને શાંતિથી સાંભળી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow