ધોરાજીમાં વાહનો ખોટી રીતે ડિટેન કરાતાં ઝાંઝમેર બંધ

ધોરાજીમાં વાહનો ખોટી રીતે ડિટેન કરાતાં ઝાંઝમેર બંધ

ધોરાજી પોલીસની કારણ વગરની કનડગત અને ઘોંચપરોણાના લીધે વિરોધમાં ઝાંઝમેર ગામના લોકોએ અગાઉ કરેલી જાહેરાત મુજબ જ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને મામલો ગરમાય અને નાના મોટા કોઇ છમકલાં થાય તે પહેલાં જ જેતપુર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઝાંઝમેર દોડી ગયો હતો અને દરમિયાનગીરી કરી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

ઝાંઝમેર ગામે પોલીસ દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેઇન કરીને કરાતી હેરાનગતિ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત કરવાનું નક્કી કર્યા બાદ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી અને સરપંચ સાથે મળી ગામ બંધ રાખવાનું એલાન અપાયું હતું અને તેનો શુક્રવારે ગામલોકોએ અમલ કર્યો હતો. જો કે લોકોનો આક્રોશ જોઇ ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને લોકોની રજૂઆતને શાંતિથી સાંભળી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow