હૉટલમાં બુકિંગ હશે તો જ શહેરમાં મળશે એન્ટ્રી: ફ્રેન્ડ્સ-ફેમિલી સાથે અહીં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

હૉટલમાં બુકિંગ હશે તો જ શહેરમાં મળશે એન્ટ્રી: ફ્રેન્ડ્સ-ફેમિલી સાથે અહીં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચકાવ્યું છે અને તબાહી મચાવી રહ્યો છે એવામાં ભારતમાં પણ સરકાર હવે અલર્ટ મોડ પર આવી ગઈ છે. ચીનની હાલત જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર વધવા લાગ્યો છે. જો કે હજુ પણ લોકોમાં નવા વર્ષને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં જો તમે પણ નવા વર્ષની ખુશીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. આ સાથે જ ફરવા જતાં પહેલા કોરોના તો ઠીક પણ ભીડને કંટ્રોલ કરવા માટે ઘણા શહેરમાં નિયમો બનાવવામાં આવ્યા છે. એવામાં જો તમે પણ ફરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.

હોટલ બુક હશે તો જ એન્ટ્રી મળશે
જણાવી દઈએ કે નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ મસૂરી જઈ શકશે, જેમણે પહેલેથી જ હોટલ બુક કરાવી લીધી છે. આ સિવાય દહેરાદૂન શહેરમાં પણ બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્થાનિક લોકોને એન્ટ્રી મળશે પણ એ સિવાય બીજા લોકોને શહેરમાં એન્ટ્રી આપવામાં નહીં આવે અને એ  વાતનું ધ્યાન રાખવા માટે આ માટે વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે 30 અને 31 ડિસેમ્બર માટે રૂટ પ્લાન તૈયાર કર્યો છે અને એસપી ટ્રાફિક અક્ષય પ્રહલાદ કોંડેએ આ વિશે જણાવતા કહ્યું હતું કે મસૂરી અને રાજપુર રોડ પર વાહનોનું દબાણ સૌથી વધુ રહે છે અને તેને ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ સહારનપુર અને હરિદ્વાર રૂટથી આવતા વાહનોને કુથલ ગેટ પર રોકવામાં આવશેઅને ત્યાં પ્રવાસીઓનું હોટલ બુકિંગ ચેક કરવામાં આવશે, એ પછી જ એન્ટ્રી આપવામાં આવશે.

પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો
આ સાથે જ એસપી ટ્રાફિકે જણાવ્યું હતું કે ભીડ વધે ત્યારે પોલીસ અને પ્રવાસીઓ વચ્ચે ઘણીવાર અથડામણ થાય છે અને આવી સ્થિતિમાં પોલીસકર્મીઓને કોઈપણ સંજોગોમાં પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોવિડને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પણ પાલન કરવું જોઈએ.

ડાયવર્ઝનના રસ્તે મસૂરી નહીં જાય  ભારે વાહનો
મસૂરી ડાયવર્ઝન અને બાટા ઘાટ ચેકપોસ્ટથી મસૂરી આવતા ભારે વાહનો પર 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સવારે 8 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે માત્ર આવશ્યક સેવાના વાહનો જ મસુરી જઈ શકશે.

પોલીસે કરી અપીલ
- ડાયવર્ટ રૂટનો જ ઉપયોગ કરો.
- પહાડી ક્ષેત્રોમાં તમારી લેનમાં વાહન ચલાવો.
- પાર્કિંગમાં જ વાહન પાર્ક કરો
- દારૂ પીધા પછી વાહન ન ચલાવો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow