યુક્રેન સામે ન લડવું પડે એટલે રશિયનો દેશ છોડી રહ્યા છે

યુક્રેન સામે ન લડવું પડે એટલે રશિયનો દેશ છોડી રહ્યા છે

યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા 216મા દિવસે પણ યથાવત્ છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન દ્વારા એક સપ્તાહ પહેલાં અપાયેલા આદેશને પગલે રશિયામાં ખળભળાટ મચી ગયો છે. પુટિને 3 લાખ રિઝર્વ સૈનિકોને યુક્રેન મોકલવાનો આદેશ આપ્યો છે.

રશિયાના કાયદા અનુસાર દેશમાં રહેતા લોકોને યુદ્ધ દરમિયાન સરકાર સૈન્યમાં ભરતી કરી શકે છે. ભૂતકાળમાં સૈન્યમાં કામ કરી ચૂકેલા લોકોને પસંદ કરવામાં આવશે. આ આદેશ બાદ લોકોમાં ફફડાટ છે કે ક્યાંક તેમને પણ સરહદે મોકલી દેવાય નહીં એટલે તેઓ દેશ છોડી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે અમે આ અંતહીન યુદ્ધમાં યુક્રેન વિરુદ્ધ લડવા માગતા નથી. આ કારણોસર લોકો પોતાની કાર કે અન્ય વાહનોમાં રશિયા છોડીને જ્યોર્જિયા જઈ રહ્યા છે.

પુટિનના નજીકના ગણાતા બિઝનેસમેન યેવગેની પ્રિગોઝિને જણાવ્યું હતું કે લોકો સૈન્યમાં જોડાતા ડરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે યુક્રેન પર હુમલાના પુટિનના નિર્ણયને લોકોનું સમર્થન નથી. સાઇબેરિયામાં ગોળી વાગવાથી એક સૈનિકનું મોત થયું છે. તે તાજેતરમાં જ સૈન્યમાં જોડાયો હતો. એ પછી લોકો સૈન્યમાં જોડાતા ડરી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow