યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે હિમવર્ષા શરૂ

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે હિમવર્ષા શરૂ

યુક્રેનમાં રશિયાના સૈન્યના હુમલા 267માં દિવસ પણ યથાવત્ રહ્યા. આ હુમલાથી બચવાની સાથે જ યુક્રેનના લોકો સામે વધુ એક પડકાર ઠંડીથી બચવાનો ઊભો થયો છે. કારણ કે રાજધાની કીવ સહિત અન્ય ક્ષેત્રોમાં વરસાદની સાથે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. જેના લીધે તાપમાન ગગડીને શૂન્યની નીચે આવી પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં તકલીફ વધવાની જ છે કેમ કે રશિયાએ વીજપ્લાન્ટ બાદ હવે દેશના ગેસ સ્ટોરેજ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. જોકે તમામ મુશ્કેલીઓ છતાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની જેમ લોકોનો જુસ્સો બુલંદ છે કેમ કે રશિયાએ સતત પીછેહઠ કરવા મજબૂર થવું પડી રહ્યું છે.

લડાઈ શાંત થતી ન દેખાતા રાષ્ટ્રપતિ કાર્યાલયે દેશભરમાં બે મહિના પહેલા જ લોકોને કહી દીધું હતું કે હુમલાની સાથે ઠંડીનો મુકાબલો કરવા માટે ઘર અને આજુબાજુના ક્ષેત્રોમાં લાકડાં એકઠા કરી લો. જેથી જો વીજળીની સાથે ગેસ પણ ન મળે તો તાપણું તૈયાર કરી ઠંડીનો સામનો કરી શકો. યુરોપિયન દેશો અને અમેરિકાએ જનરેટર મોકલ્યા છે જેથી ઘર અને બંકરોને ગરમ રાખી શકાય. આવા જનરેટર સમગ્ર દેશમાં બનાવીને રખાઈ રહ્યા છે. ઠંડીથી બચવા જેકેટ, ધાબળા સહિત અન્ય ગરમ કપડાની પણ કોઈ અછત નથી. કીવથી લઈને બુચા સુધી ગરમ કપડાનો જથ્થો પહોંચાડી દેવાયો છે જેને વજન પ્રમાણે વેચવામાં આવી રહ્યા છે. હુમલા બાદ દેશમાં મોંઘવારી તો વધી છે તેમ છતાં ક્યાંય કોઈ વસ્તુની અછત નથી. બાળકો માટે મિલ્ક પાઉડરથી લઈને શાકભાજી, રેશન આરામથી ઉપલબ્ધ છે. યુક્રેન નજીકના પોલેન્ડ સહિત અન્ય યુરોપિયન દેશ મોટી માત્રામાં સતત મદદ મોકલી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow