યુક્રેન પર 120 મિસાઇલો છોડી

યુક્રેન પર 120 મિસાઇલો છોડી

રશિયાએ ગુરુવારે યુક્રેન પર સમુદ્ર અને આકાશમાંથી તેનાં મુખ્ય શહેરો પર 120 મિસાઇલો છોડી. મિસાઇલના ધમાકા રાજધાની કીવ સહિત 7 શહેરોમાં સંભળાયા. હુમલામાં 14 વર્ષીય બાળકી સમેત 3 લોકોના ઘાયલ થવાની ખબર છે. તેની પહેલાં 15 નવેમ્બરે પણ રશિયાએ યુક્રેન પર 100 મિસાઇલો છોડી હતી. તેમાંથી 2 મિસાઇલો પોલેન્ડમાં પડી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના સલાહકાર માઇખાઇલો પોડોલિયાકે બતાવ્યું કે હુમાલો રહેણાક વિસ્તારોમાં કરવામાં આવ્યો. કેટલીય ઇમારતો તબાહ થઇ ગઇ છે. કીવ સિવાય લ્વીવ, ખાર્કિવ, માઇકોલિવ, ઓડેસા, પોલ્ટાવા અને જિટોમિર પણ ધમાકાના અવાજો સંભળાયા.

યુક્રેનમાં રેડ એલર્ટ, કામીકાજે ડ્રોનથી પણ હુમલા
યુક્રેનની એરફોર્સે કહ્યું- રશિયાએ અમારી ઉપર કેટલીય દિશાઓમાંથી હુમલા કર્યા. ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. હુમલામાં કામીકાજે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુરુવાર સવારે યુક્રેનના કેટલાય શહેરોમાં રેડ એલર્ટ પણ સાંભળવા મળ્યું. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ અપીલ કરી છે કે જ્યાં સુધી રશિયા હવાઇ હુમલા બંધ નહીં કરે, તેઓ બંકરોમાં જ રહેશે.

લિવના 90% વિસ્તારોમાં વીજળી નથી લિવ શહેરના મેયર એન્ડ્રી સદોવીએ કહ્યું- 90% વિસ્તારોમાં વીજળી નથી. વોટર સપ્લાય સિસ્ટમ થપ થઇ ગઇ છે. મિસાઇલોએ જ્યાં ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે, ત્યાં સેંકડો લોકો કડકડતી ઠંડીમાં વગર વીજળીએ રહેવા મજબૂર છે. ખાર્કિવમાં પણ વીજળી સપ્લાય ઠપ થઇ ગઇ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow