4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની

4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની

ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાશે. શહેરમાં ઉદઘાટન સમારોહ ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ તેનું આયોજન કરવાની ચર્ચા ચાલી રહી છે.

બીજા દિવસે આ જ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ઓપનિંગ મેચ પણ રમાશે. બંને ટીમ 2019માં અગાઉના વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ટકરાયા હતા.

વિશ્વ કપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ વખતે વર્લ્ડ કપ ગત વખતની જેમ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે. ઓપનિંગ સેરેમની દરમિયાન તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદમાં હાજર રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 'કેપ્ટન્સ ડે' ઇવેન્ટમાં તમામ કેપ્ટનોનું એક નાનું ઔપચારિક સત્ર પણ યોજશે.

ઓપનિંગ સેરેમનીમાં ICC એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો પણ હાજર રહેશે. ICCની સાથે, યજમાન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો પણ ઓપનિંગ સેરેમનીનો ભાગ હશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow