પહેલી વન-ડે 40 રનથી જીતી

પહેલી વન-ડે 40 રનથી જીતી

બાંગ્લાદેશ મહિલા ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 40 રને હરાવ્યું હતું. વન-ડે ક્રિકેટમાં ભારત સામે બાંગ્લાદેશની મહિલા ટીમની આ પ્રથમ જીત છે. તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહિલા ODI ક્રિકેટમાં આ છઠ્ઠી મેચ હતી. આ પહેલા ભારતે પાંચ મેચમાં જીત મેળવી હતી.

બાંગ્લાદેશે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મીરપુરમાં રમાઈ હતી. વરસાદથી વિક્ષેપિત મેચને 44-44 ઓવરની કરવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 43 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમ 35.5 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી અને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 40 રનથી મેચ હારી ગઈ. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તરે ચાર વિકેટ લીધી હતી. મારુફાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન સુલ્તાનાએ 39 રનની ઇનિંગ રમી
બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 39 રન બનાવ્યા. જ્યારે ફરગાના હકે 27 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે પ્રથમ વન-ડે રમી રહેલી અમનજોત કૌરે ચાર વિકેટ લીધી હતી. દેવિકા વૈદ્યને બે અને દીપ્તિ શર્માને એક વિકેટ મળી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow