સિટી બસમાંથી 1.24 લાખની મતાના મહિલાના પર્સની ચોરી

સિટી બસમાંથી 1.24 લાખની મતાના મહિલાના પર્સની ચોરી

એસટી બસમાં ધક્કામુક્કી કરીને ગઠિયાઓ પર્સ તફડાવી જતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે પરંતુ ગુરૂવારે સિટી બસમાં પણ ગીરદીનો લાભ લઇ કોઇ શખ્સ મહિલા મુસાફરનું રોકડા રૂ.90 હજાર અને સોનાના દાગીના સહિત કુલ રૂ.1.24 લાખની મતાનું પર્સ ઉઠાવી ગયું હતું.

ગોંડલના ગુંદાસરા ગામના શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.45)એ ચોરીની ઘટના અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શોભાનાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે તેમના ફૈબાના પુત્રની સગાઇ થઇ હોય તેની પહેરામણીના પ્રસંગે પોતે રતનપર ગયા હતા અને સાંજે રતનપરથી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા અને રતનપરના પાટિયેથી સિટી બસમાં બેઠા હતા, શોભનાબા અને તેમના પરિચિત મહિલાઓ બસમાં પાછળના ભાગે ઉભા હતા, બેડી માર્કેટિંગયાર્ડ પાસે બસ પહોંચી ત્યારે શોભનાબાને અહેસાસ થયો હતો કે તેમનું પાકીટ કોઇ તફડાવી ગયું છે,

શોભનાબાએ તાકીદે ડ્રાઇવર અને કંડક્ટરને જાણ કરી બસ ઉભી રખાવી હતી, જોકે ત્યાં સુધીમાં અનેક લોકો બસમાંથી ઉતરી ગયા હતા.’કંડક્ટરે અન્ય મુસાફરોની બેગ ચેક કરી હતી પરંતુ મહિલાનું પર્સ જોવા મળ્યું નહોતું, ચોરી થયેલા પર્સમાં રોકડા રૂ.90 હજાર, એક જોડી સોનાની બૂટી, સોનાનો ટીકો, કાનના દાણા અને ચાંદીનું કડું સહિત કુલ રૂ. 1.24 લાખની માલમતા હતા, અંતે આ મામલે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow