ક્રિકેટ બાદ ફિલ્મોમાં નસીબ અજમાવશે ધોની?

ક્રિકેટ બાદ ફિલ્મોમાં નસીબ અજમાવશે ધોની?

ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જલદી ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવશે. ક્રિકેટમાં હાથ અજમાવ્યા બાદ ધોની હવે ફિલ્મ ક્ષેત્રે પણ હાથ અજમાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની પોતાની ફિલ્મોની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરશે. પોતાના પહેલા જ પ્રોજેક્ટમાં ધોની સાઉથના સુપરસ્ટાર અભિનેતા થલાપથી વિજય અને મહેશ બાબુને સામેલ કરવાની યોજના ધરાવે છે.

ધોનીની ફિલ્મોમાં કાસ્ટ મોટા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવશે

ધોનીએ ફિલ્મ મેકિંગની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી મેળવવા માટે ખૂબ મોટા પાયે આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની પોતાની પહેલી ફિલ્મમાં સાઉથના મોટા એક્ટર થલાપથી વિજય અને મહેશ બાબુને કાસ્ટ કરવાનો છે. આ ઉપરાંત તે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને કન્નડ ઇન્ડસ્ટ્રીના કિચ્છ સુદીપને પણ પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરશે.

કેમિયો કરતો પણઃ જોવા મળી શકે

અગાઉ અટકળો તો એવી પણ લગાવવામાં આવી હતી કે, ધોની પોતાની પહેલી ફિલ્મમાં અભિનેત્રી નયનતારાને કાસ્ટ કરશે પરંતુ પાછળથી આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. આ પછી આ અંગે ધોનીની આગામી મુલાકાત થલાપથી વિજય સાથેની હતી. બંને વચ્ચે ફિલ્મ મેકિંગની થોડી વાતો થઈ હતી. ધોનીની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર તે થલાપથી વિજયની ફિલ્મમાં કેમિયો કરતો પણ જોવા મળી શકે છે.

ધોનીએ પહેલા પણ બનાવી છે ફિલ્મ

ધોનીનું એમએસ ધોની એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. આ પ્રોડક્શન હાઉસ અત્યાર સુધીમાં નાના બજેટની ત્રણ ફિલ્મો બનાવી ચૂક્યું છે, 'રોર ઓફ લાયન', 'ધ હિડન હિન્દુ' અને' બ્લેઝ ટુ ગ્લોરી.' પ્રોડક્શન હાઉસનું સંચાલન ધોનીની પત્ની સાક્ષી કરે છે. હાલ તેની નવી ઓફિસ ચેન્નઈમાં બની રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow