વેસ્ટર્ન રેલવે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સ લંબાવવામાં આવી

વેસ્ટર્ન રેલવે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સ લંબાવવામાં આવી

વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 05054/05053 બાંદ્રા ટર્મિનસ - ગોરખપુર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને સમાન રચના, સમય, હોલ્ટ અને માર્ગ પર વિશેષ ભાડા પર લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

27 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી
આ અંગે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવારે 22.45 વાગ્યે ઉપડશે અને સોમવારે 06.25 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેનને 28મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 05053 ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શુક્રવારે ગોરખપુરથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનને 27મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

કયા-કયા સ્ટેશન આવશે?
આ ટ્રેનના માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા,રતલામ, કોટા, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, આઈશબાગ, બાદશાહનગર, ગોંડા , બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં આરક્ષિત સેકન્ડ ક્લાસ સીટિંગ અને અનરિઝર્વ્ડ જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow