ભારતીય મૂળની ચેતનાની સ્ક્વૉશ થકી પીડા દૂર કરવાના પ્રયાસો દર્શાવતી નવલકથા વેસ્ટર્ન લેન શોર્ટલિસ્ટ

ભારતીય મૂળની ચેતનાની સ્ક્વૉશ થકી પીડા દૂર કરવાના પ્રયાસો દર્શાવતી નવલકથા વેસ્ટર્ન લેન શોર્ટલિસ્ટ

2023ના બુકર પુરસ્કાર માટે 6 પુસ્તક શોર્ટલિસ્ટ કરાયાં છે તેમાં ભારતીય મૂળનાં ચેતના મારુની નવલકથા ‘વેસ્ટર્ન લેન’ પણ છે. નિર્ણાયક પૅનલના પ્રમુખ સી. એડુગ્યાન કહે છે કે અન્ય પાંચ લેખકમાં કેનેડાની સારા બર્નસ્ટીન, અમેરિકાના જોનાથન એસ્કોફરી અને પૉલ હાર્ડિંગ્સ, આયર્લૅન્ડના પૉલ લિન્ચ અને પૉલ મરે પણ છે. 26 નવેમ્બરે વિજેતાની જાહેરાત કરાશે. ચેતનાની આ નવલકથા વિશે જાણીએ.

‘વેસ્ટર્ન લેન’ના કેન્દ્રમાં બ્રિટિશ ગુજરાતી પરિવાર છે. 11 વર્ષની ગોપી નામની છોકરી નવલકથાનું મુખ્ય પાત્ર છે. ગોપી પોતે સરખી રીતે રેકેટ પણ પકડી નહોતી શકતી એ ઉંમરે સ્ક્વૉશ રમવાનું શરૂ કરી દીધું હતું. માતાનાં મૃત્યુ પછી પિતાએ સ્ક્વૉશ ટ્રેનિંગ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. પછી આ રમત ગોપીની દુનિયા બની જાય છે. ધીમેધીમે એ બહેનોથી અલગ પડવા લાગે છે.

ટૂંકા ગાળામાં જ ક્લબ મૅનેજરના પુત્ર ગેડનું ધ્યાન ગોપી ઉપર પડે છે. તે ગોપીનો ટ્રેનિંગ પાર્ટનર બની જાય છે. દરમિયાન મકસૂદ નામનો પાકિસ્તાની વેપારી અને સ્ક્વૉશનો ખેલાડી ગોપીના પિતાને ટૂર્નામેન્ટમાં ભાગ અપાવવા માટે મનાવે છે. ગોપીના પિતાને લાગે છે કે મોટી દીકરી કારકિર્દીનો માર્ગ અપનાવી લેશે તો તેની ચિંતા ઓછી થઈ જશે. એવામાં ત્રણ દીકરીને એકલાહાથે મોટી કરવાનું દુ:ખ અને આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહેલા પિતા પુત્રીને ટૂર્નામેન્ટમાં મોકલવા માટે તૈયાર થઈ જાય છે. આ માટે તેમને ઇલેક્ટ્રિશિયનનું કામ છોડવું પડે છે. આ કારણે તેઓ પરિવારની આર્થિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કરવા લાગે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow