MPCના નીતિગત નિર્ણયોની અસર પર વોચ : આરબીઆઈ

MPCના નીતિગત નિર્ણયોની અસર પર વોચ : આરબીઆઈ

આ મહિનાની શરૂઆતમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે છેલ્લા એક વર્ષ દરમિયાન રેપોરેટને લઇને કરવામાં આવેલી કાર્યવાહીની અસર હજુ દેખાવાની બાકી છે અને તેના પર નજીકથી દેખરેખ રાખવાની જરૂરિયાત જણાઇ રહી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં MPCની પાંચ અન્ય સભ્યોની સાથે દાસે પણ રેપોરેટને યથાવત્ રાખવાના નિર્ણયના પક્ષમાં મત આપ્યો હતો. મોંઘવારીને અંકુશમાં રાખવા માટે ગત મે 2022થી RBI દ્વારા રેપોરેટમાં સતત છ વાર વધારા બાદ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી MPC બેઠક દરમિયાન RBI રેપોરેટને યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો.

મે 2022થી રેપોરેટમાં કુલ 250 બેસિસ પોઇન્ટનો વધારો કરાયો છે.ફુગાવામાં કેટલાક અંશે રાહતના સંકેત છે, પરંતુ નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવાનો ફુગાવાનો દર ધીમો રહેશે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર દરમિયાન 5.2 ટકાનો ફુગાવો તો પણ લક્ષ્યાંક કરતા ઉપરના સ્તરે છે. એટલે જ, અત્યારે આ તબક્કે ખાસ કરીને બે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જેમાં એક ફુગાવામાં રાહત છે અને એ જ સમયે અમે ભૂતકાળમાં કરેલી કામગીરીની અસરની દેખરેખ કરવાનો છે. જેને કારણે મારા મતે આ MPC બેઠક દરમિયાન રેપોરેટ પરના વધારાને રોકવામાં આવે તે જરૂરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow