વ્યાજદરોમાં વૃદ્ધિ ભવિષ્ય માટે વધુ જોખમી સાબિત થઇ શકે

વ્યાજદરોમાં વૃદ્ધિ ભવિષ્ય માટે વધુ જોખમી સાબિત થઇ શકે

વૈશ્વિક સ્તરે સતત વધતી મોંઘવારી પર લગામ લગાવવા માટે કેન્દ્રીય બેન્કો જે આક્રમક વલણ અપનાવીને વ્યાજદરોમાં વધારો કરી રહી છે, તે નજીકના ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઇ શકે છે. MK વેલ્થ મેનેજમેન્ટના મતે ભૌગોલિક-રાજકીય તણાવ, ક્રૂડ ઑઇલની કિંમતમાં તેજી અને વિકસિત દેશોમાં મંદીની આશંકાથી માર્કેટ પર ખતરો તોળાઇ રહ્યો છે.

એક વેબિનારને સંબોધિત કરતા એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે કહ્યું હતું કે, ભારત માટે ચિંતાનો વિષય નથી. પરંતુ તેનાથી નિકાસની રફતાર ઘટવાની સંભાવના પ્રબળ બની છે તેમજ કરન્સી રિવેલ્યુએશનનું જોખમ પણ વધ્યું છે.

મોટા ભાગની અર્થવ્યવસ્થાઓ માટે મોંઘવારી ચિંતાનો વિષય બની છે. જેને રોકવા માટે કેન્દ્રીય બેન્કો આક્રમક રીતે વ્યાજદરોમાં વધારો કરી રહી છે. જે નિકટના ભવિષ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આગામી ક્વાર્ટરમાં ડૉલર ઇન્ડેક્સ તથા ક્રૂડ ઑઇલની કિંમતો પર નજર રાખવાની આવશ્યકતા છે. જોસેફ અનુસાર, ભૌગોલિક-રાજકીય તણાવ વધવાથી સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાયો છે.

જેને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારી પર અંકુશ માટે અમેરિકા અને યુરોપ સહિતના અનેક દેશોની કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરોમાં વૃદ્વિનું વલણ અપનાવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow