વોર 2'નું રોમેન્ટિક ટ્રેક 'આવાં જવાં' રિલીઝ

વોર 2'નું રોમેન્ટિક ટ્રેક 'આવાં જવાં' રિલીઝ

બોલિવૂડની અપકમિંગ એક્શન-થ્રિલર ફિલ્મ ‘વોર 2’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. 'આવાં જવાં' ગીતમાં હૃતિક રોશન અને કિયારા અડવાણીનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના અવાજમાં ગવાયેલું આ ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ‘વોર 2’ની હિરોઈનના ખાસ દિવસ એટલે કે કિયારા અડવાણીના બર્થ ડે પર ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

કિયારા-હૃતિકની કેમેસ્ટ્રીનો જાદુ 'વોર 2'નું 'આવાં જવાં' ગીત રોમેન્ટિક ટ્રેક છે. આ ગીતમાં કિયારા અડવાણી અને હૃતિક રોશનની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. ગીતમાં જોઈ શકાય છે કે બંને કલાકારો આ ક્ષણનો ખૂબ આનંદ માણી રહ્યા છે. સાથે જ ગીતમાં એક્ટ્રેસનો પહેલીવાર ઓનસ્ક્રિન બિકીની અવતાર પણ જોઈ શકાય છે. કિયારા-હૃતિકનો રોમેન્ટિક અંદાજ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આવાં જવાં' ગીતની વાત કરીએ તો, તે અરિજિત સિંહ અને નિકિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે. સંગીત પ્રીતમે આપ્યું છે. અરિજિતનો અવાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. કિયારા અડવાણીએ આ ગીત તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેની પોસ્ટ પર નેટીઝન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને ગીતને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત, ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow