વીડિયો ગેમને કારણે બાળકોના હૃદયના ધબકારાનો લય પ્રભાવિત થાય છે

વીડિયો ગેમને કારણે બાળકોના હૃદયના ધબકારાનો લય પ્રભાવિત થાય છે

વીડિયો ગેમને કારણે બાળકોના હૃદયના ધબકારાનો લય પ્રભાવિત થાય છે

વીડિયો ગેમ ચોક્કસપણે આનંદદાયક છે, પરંતુ તેની લત નુકસાનકારક છે. એક નવા રિસર્ચના તારણ અનુસાર ગેમિંગ હંમેશા એક સુરક્ષિત વિકલ્પ નથી અને વાસ્તવમાં બાળકોને ઘાતક હૃદય સંબંધિત બીમારીનો શિકાર બનાવી શકે છે.

હાર્ટ રિધમમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર વીડિયો ગેમ્સથી તે બાળકોના હૃદયના ધબકારાની લય વધુ પ્રભાવિત થાય છે જેઓ પહેલાથી જ કાર્ડિયેકની મુશ્કેલી સામે ઝઝુમી રહ્યાં છે. ધબકારાની લયમાં બદલાવ અનેક બાળકોના મોતનું કારણ છે.

ઓસ્ટ્રેલિયામાં સંશોધકોએ તે 22 કેસના આધાર પર રિસર્ચ કર્યું, જે વીડિયો ગેમ રમતી વખતે હૃદયના ધબકારામાં ખલેલ અનુભવી રહ્યા છે, પરંતુ બાળકોની ઉંમરની સ્પષ્ટતા કરાઇ નથી. સંશોધકોના મતે જે બાળકો હૃદય સંબંધિત બીમારીઓ સામે ઝઝુમી રહ્યાં છે તેઓ કનસોલ અને કમ્પ્યુટર પર મલ્ટીપ્લેયર વોર ગેમ્સ રમવાનું પસંદ કરે છે. પરંતુ ગેમને લઇને સ્પષ્ટતા કરાઇ નથી. રિસર્ચ અનુસાર વીડિયો ગેમમાં જે ઝટકા લાગે છે તે કેટલાક બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

વિશેષજ્ઞોએ ચેતવણી આપી કે જે બાળકોને ગેમિંગ દરમિયાન બ્લેકઆઉટનો અનુભવ થાય છે તેઓને તરત જ હૃદયના ડૉક્ટર પાસે લઇ જવા જોઇએ, કારણ કે બેભાન થવું તે હૃદયને લગતી સમસ્યાનો સંકેત છે. ફિઝિકલ એક્ટિવિટીને કારણે એડરનેલિન રશને કારણે બ્લેકઆઉટ, ધબકારા વધવા અને ચક્કર આવવા જેવી સમસ્યા વધી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow