વીડિયો ગેમને કારણે બાળકોના હૃદયના ધબકારાનો લય પ્રભાવિત થાય છે

વીડિયો ગેમને કારણે બાળકોના હૃદયના ધબકારાનો લય પ્રભાવિત થાય છે

વીડિયો ગેમને કારણે બાળકોના હૃદયના ધબકારાનો લય પ્રભાવિત થાય છે

વીડિયો ગેમ ચોક્કસપણે આનંદદાયક છે, પરંતુ તેની લત નુકસાનકારક છે. એક નવા રિસર્ચના તારણ અનુસાર ગેમિંગ હંમેશા એક સુરક્ષિત વિકલ્પ નથી અને વાસ્તવમાં બાળકોને ઘાતક હૃદય સંબંધિત બીમારીનો શિકાર બનાવી શકે છે.

હાર્ટ રિધમમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર વીડિયો ગેમ્સથી તે બાળકોના હૃદયના ધબકારાની લય વધુ પ્રભાવિત થાય છે જેઓ પહેલાથી જ કાર્ડિયેકની મુશ્કેલી સામે ઝઝુમી રહ્યાં છે. ધબકારાની લયમાં બદલાવ અનેક બાળકોના મોતનું કારણ છે.

ઓસ્ટ્રેલિયામાં સંશોધકોએ તે 22 કેસના આધાર પર રિસર્ચ કર્યું, જે વીડિયો ગેમ રમતી વખતે હૃદયના ધબકારામાં ખલેલ અનુભવી રહ્યા છે, પરંતુ બાળકોની ઉંમરની સ્પષ્ટતા કરાઇ નથી. સંશોધકોના મતે જે બાળકો હૃદય સંબંધિત બીમારીઓ સામે ઝઝુમી રહ્યાં છે તેઓ કનસોલ અને કમ્પ્યુટર પર મલ્ટીપ્લેયર વોર ગેમ્સ રમવાનું પસંદ કરે છે. પરંતુ ગેમને લઇને સ્પષ્ટતા કરાઇ નથી. રિસર્ચ અનુસાર વીડિયો ગેમમાં જે ઝટકા લાગે છે તે કેટલાક બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

વિશેષજ્ઞોએ ચેતવણી આપી કે જે બાળકોને ગેમિંગ દરમિયાન બ્લેકઆઉટનો અનુભવ થાય છે તેઓને તરત જ હૃદયના ડૉક્ટર પાસે લઇ જવા જોઇએ, કારણ કે બેભાન થવું તે હૃદયને લગતી સમસ્યાનો સંકેત છે. ફિઝિકલ એક્ટિવિટીને કારણે એડરનેલિન રશને કારણે બ્લેકઆઉટ, ધબકારા વધવા અને ચક્કર આવવા જેવી સમસ્યા વધી શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow