વિદેશમાં કમાની બોલબાલા:અમેરિકામાં કિર્તીદાન ગઢવીના ચાલુ ડાયરામાં ગુજરાતીએ કમા માટે 500 ડોલરની નોટ ભેટમાં આપી

વિદેશમાં કમાની બોલબાલા:અમેરિકામાં કિર્તીદાન ગઢવીના ચાલુ ડાયરામાં ગુજરાતીએ કમા માટે 500 ડોલરની નોટ ભેટમાં આપી

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામનો દિવ્યાંગ કમો હાલ સેલિબ્રિટી બની ગયો છે. લોકડાયરામાં કલાકારો અને આયજકો કમાને બોલાવી રહ્યા છે. ત્યારે કમાને સેલિબ્રિટી બનાવનાર કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે. પ્રિ-નવરાત્રિને લઈને કિર્તીદાન ગઢવી પોતાના ગીતો પર અમેરિકાની ધરતી પર ગુજરાતીઓને ડોલાવી રહ્યા છે. ત્યારે અમેરિકાની ધરતી પર યોજાયેલ ડાયરામાં એક ગુજરાતી હરિકાકાએ કમાને યાદ કર્યો હતો અને તેમણે કમા માટે 500 ડોલરની નોટ ભેટ સ્વરૂપે કિર્તીદાન ગઢવીને આપી હતી. કિર્તીદાન ગઢવીએ પણ કમાની ભેટ જુદી રાખી મોકલવાની સૂચના તેમની ટીમના સભ્યોને આપી હતી.

અમેરિકામાં કિર્તીદાને કમાનું ફેવરિટ ગીત ગાયું
કિર્તીદાને ચાલુ ડાયરામાં હરિકાકા પાસેથી કમા માટે 500 ડોલરની નોટ સ્વીકારી હતી. બાદમાં કહ્યું હતું કે, કમાનું હાલી ગયું છે, બાદમાં કિર્તીદાને કમાનું ફેવરિટ ગીત રસિયો રૂપાલો રંગ રેલિયો ગીત પણ ગાયું હતું. તેમજ કિર્તીદાને કહ્યું હતું કે, અમેરિકામાં લોકો કહે છે કે, કમાને લઈ આવો પણ અમારા વીઝા માંડ થાય છે. પણ એનું પણ અમેરિકા આવવાનું કઈક થઈ જશે. કમાને દુબઈના ડાયરામાં લઈ જવાની વાત કરી તો એક ભાઈએ પોતે સ્પોન્સરશીપ લેવાની વાત કરી હતી.

કિર્તીદાને ઉત્તર ગુજરાતના ગીતોની રમઝટ બોલાવી
કિર્તીદાન ગઢવીએ ડાયરામાં જણાવ્યું હતું કે, આવતીકાલે શિકાગોમાં પ્રિ-નવરાત્રિનું આયોજન છે તો બાકી રહી ગયા હોય એ આવી જાજો, આવો જલ્સો નહીં થાય. ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની રજા છે, ત્યારે કિર્તીદાન ગઢવી ખુશ થઈને બોલ્યા કે વારી જાવ તમારા પર. બાદમાં ઉત્તર ગુજરાતીઓના વખાણ કર્યા અને ઉત્તર ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow