વ્યાજખોર પિતા-પુત્રએ 18 વીઘા જમીન પચાવી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

વ્યાજખોર પિતા-પુત્રએ 18 વીઘા જમીન પચાવી કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

રાજકોટના ઉમરાળીમાં રહેતા પ્રૌઢ અને તેના ભત્રીજા પર ગામમાં જ રહેતા વ્યાજખોર પિતા-પુત્રએ હુમલો કરતાં ઘવાયેલા કાકા ભત્રીજા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, વ્યાજખોરોએ 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા વધુ રકમ ચૂકવાઇ ગઇ હોવા છતાં નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હોય પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.

ઉમરાળી ગામે રહેતા પ્રફૂલચંદ્ર નાનાલાલ જોશી (ઉ.વ.55) શનિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ગામમાં જ રહેતો કનુ પીઠા ડવ અને તેનો પુત્ર કુલદીપ ડવ ત્યાં ધસી ગયા હતા અને શેરીમાં ઊભા રહી ગાળો ભાંડવા લાગ્યા હતા, પ્રફૂલચંદ્ર ઘરની બહાર નીકળતાં હમણાથી કેમ વ્યાજ આપતો નથી તેમ કહી પિતા-પુત્ર તેના પર લાકડીથી તૂટી પડ્યા હતા, પ્રફૂલચંદ્રને બચાવવા દોડેલા તેના ભત્રીજા બિપીનભાઇ ભાનુભાઇ જોશી (ઉ.વ.39)ને પણ હુમલાખોરોએ માર માર્યો હતો, હુમલો થતાં દેકારો મચી જતાં હુમલાખોર પિતા-પુત્ર નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા કાકા ભત્રીજાને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રફૂલચંદ્રએ આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 14 વર્ષ પૂર્વે પોતે અમદાવાદ શરાફી પેઢીમાં નોકરી કરતા હતા ત્યારે નાણાંની જરૂરિયાત ઊભી થતાં કનુ પીઠા ડવ પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, ત્યારબાદ પ્રફૂલચંદ્રના ભત્રીજા મીરજ ભાનુભાઇ જોશીએ કુલદીપ ડવ પાસેથી રૂ.2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, કાકા ભત્રીજા બંને નિયમિત વ્યાજ ચૂકવતા હતા છતાં કનુ ડવે પ્રફૂલચંદ્રના પિતાના નામની 18 વીઘા જમીન પર કબજો જમાવી દીધો હતો, મુદ્દલ રકમ કરતા અનેક મોટી રકમ કાકા ભત્રીજાએ ચૂકવી દીધી હતી છતાં વ્યાજખોર પિતા-પુત્રની આર્થિક ભૂખ સમી નહોતી અને સતત વ્યાજની ઉઘરાણી શરૂ કરતા હતા, કેટલાક સમયથી પ્રફૂલચંદ્ર અને તેનો ભત્રીજો વ્યાજ નહીં ચૂકવી શકતા શનિવારે વ્યાજખોર પિતા-પુત્ર તેના ઘરે ધસી ગયા હતા અને હુમલો કર્યો હતો. પોલીસે વ્યાજખોરી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વ્યાજખોર પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow