ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

સ્કિનને ચમકદાર બનાવવાનુ કામ કરે છે

ડુંગળી છોલતી વખતે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ડુંગળીના ફોતરામાં રહેલા પોષક તત્વ સ્કિનને ગ્લોઈંગ બનાવવાનુ કામ કરે છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ફાઈબર અને એન્ટી ઑક્સિડેન્ટ્સ જેવા ન્યુટ્રીએન્ટ્સ હોય છે, જે સ્કિનને સુંદર બનાવવાનુ કામ કરે છે. ડુંગળીની છાલને ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ સાથે મિલાવીને ચહેરા પર લગાવવી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ગુલાબજળ સાથે

ગુલાબજળની સાથે ડુંગળીની છાલનો ઉપયોગ કરવાથી ખીલ-ફોલ્લીની પરેશાની દૂર થાય છે. ડુંગળીની છાલને બારીક રીતે પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવી નાખો. જેને 5-6 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ખીલ-ધબ્બાને દૂર કરશે.

નાશપતી સાથે

નાશપતીની સાથે ડુંગળીની છાલ મિલાવીને ફેસ માસ્ક બનાવી શકાય છે. આ નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે ડુંગળીની છાલને ઉકાળો અને ફિલ્ટર કરો. આ પાણીમાં નાશપતીનો ગુદો અને થોડુ દૂધ મિક્સ કરો અને 3-4 મિનિટ માટે ઉકાળો. આ પેસ્ટને 5-7 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો.

ઓટ્સની સાથે

ઓટ્સની સાથે ડુંગળીની છાલને મિલાવવાથી સ્ક્રબ બનાવી શકો છો. સ્ક્રબ બનાવવા માટે એક વાસણમાં ઓટ્સ અને બીજા વાસણમાં ડુંગળીની છાલને ઉકાળો. ઠંડુ થયા બાદ બંનેને મિક્સ કરો. ઉપરથી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ સ્ક્રબનો ઉપયોગ ચહેરા પર કરવાથી ડ્રાયનેસ દૂર થઇ જશે અને ચહેરા પર ચમક દેખાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow