US બેન્કે ક્રિપ્ટો કરન્સીમાં સફળતાનો માર્ગ શોધ્યો FTXએ નાદારી નોંધાવતા બેન્કિંગ કંપનીને નુકસાન

US બેન્કે ક્રિપ્ટો કરન્સીમાં સફળતાનો માર્ગ શોધ્યો FTXએ નાદારી નોંધાવતા બેન્કિંગ કંપનીને નુકસાન

વર્ષ પહેલા સુધી ક્રિપ્ટોકરન્સી અથવા ડિજીટલ કરન્સીના માર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો હતો. પરંતુ હવે તેમાં જંગી કડાકો જોવા મળ્યો છે. કેટલાક સપ્તાહ પહેલા દુનિયાના સૌથી દિગ્ગજ ક્રિપ્ટો પ્લેટફોર્મ નાદાર થતા ક્રિપ્ટોકરન્સી માર્કેટને લઇને અનેક સવાલ ઉભા થયા છે. ક્રિપ્ટો પ્લેટફોર્મ તેમજ રોકાણકારો ઉપરાંત અનેક બેન્કિંગ કંપનીઓને પણ તેને લીધે જંગી નુકસાન સહન કરવાની નોબત આવી છે. તેમાં સિલ્વર ગેટ કેપિટલ કોર્પોરેશન પણ સામેલ છે.

અમેરિકામાં દિગ્ગજ બેન્કોથી પાછળ રહેલી સિલ્વર ગેટ કેપિટલ કોર્પોરેશને એક એવા સેક્ટરમાં પર્દાપણ કરવાનું વિચાર્યું, જેમાં અન્ય બેન્ક પ્રવેશ કરવા માંગતી ન હતી. આ સેકટર હતું ક્રિપ્ટો એસેટ. સમયાંતરે આ બેન્કિંગ કંપનીએ પોતાને એક નાની બેન્કમાંથી દુનિયાના દિગ્ગજ ક્રિપ્ટો પ્લેટફોર્મને સેવા પ્રદાન કરનારી કંપનીઓમાં તબદિલ કરી. તેના ક્લાઇન્ટમાં કૉઇનબેસ ગ્લોબલ અને જેમિની ટ્રસ્ટ ઉપરાંત સેમ બેંકમેન ફ્રાઇડની કંપની FTX તેમજ અલામેડા રિસર્ચ પણ સામેલ છે.

આ દરમિયાન બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું, ડિજીટલ કરન્સીના ગ્રાહકોની ડિપોઝિટ ગત વર્ષના અંત સુધીમાં લગભગ 1400 કરોડ ડૉલર (1.15 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી હતી જે તેના બે વર્ષ પૂર્વે માત્ર 120 અબજ ડૉલર (10 હજાર કરોડ રૂપિયા) હતી. નવેમ્બર 2018માં કંપનીએ નાની કંપનીઓને લોન આપવાના કારોબારને પણ વેચાણ કર્યું હતું અને સમગ્ર ધ્યાન ક્રિપ્ટોકરન્સી પર ફોકસ કર્યું હતું.

ત્યારબાદ અચાનાક ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો દોર આવ્યો અને મોટા ભાગની વર્ચ્યુઅલ કરન્સીમાં કડાકો બોલી ગયો. જેને કારણે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સ અને તેની સહાયક કંપનીઓએ નાદારી પ્રક્રિયા માટેની અરજી કરી. આ સંદર્ભે સિલ્વર ગેટના માધ્યમથી થયેલી લેણદેણ પર પણ સવાલો ઉઠ્યા અને તેની વિરુદ્વ તપાસ શરૂ થઇ.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow