ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 365 લાખ ટન આંબશે : ઇસ્મા

ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 365 લાખ ટન આંબશે : ઇસ્મા

દેશમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવા સાથે પાકને અનુકુળ વરસાદ થતા ખાંડનું ઉત્પાદન વર્ષ 2022-23ની માર્કેટિંગ સીઝન દરમિયાન 2 ટકા વધીને 365 લાખ ટન રહેવાનું અનુમાન ઇસ્માએ દર્શાવ્યો છે. આ મહિનાની શરૂઆતથી માર્કેટિંગ સીઝનની શરૂઆત થઇ છે. દેશમાં 2021-22ની માર્કેટિંગ સીઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન 35.8 મિલિયન ટન નોંધાયું હતું. તે ઑક્ટોબર-સપ્ટેમ્બરની સીઝન હતી.

ઇથેનોલ માટે વધુ ડાયવર્ઝન છતાં ઉત્પાદનમાં વૃદ્વિને કારણે આ સીઝન દરમિયાન ખાંડની નિકાસ 9 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા ISMAએ વ્યક્ત કરી હતી. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ISMA) અનુસાર, શેરડીના રસ, સિરપ અને મોલાસિસને ઇથેનોલમાં ફેરવવાને કારણે ખાંડના ઉત્પાદનમાં 45 લાખ ટનના ઘટાડા બાદ 2022-23માં ખાંડનું ઉત્પાદન 36.5 મિલિયન ટનની આસપાસ રહેવાની સંભાવના છે.

માર્કેટિંગ સીઝન 2022-23માં ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 12.3 મિલિયન ટન, મહારાષ્ટ્રમાં 15 મિલિયન ટન અને કર્ણાટકમાં 7 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. 12 ટકા સંમિશ્રણનો લક્ષ્યાંક હાંસલ થવાની ધારણા હોવાથી ઇથેનોલના ઉત્પાદન માટે ખાંડનું ડાયવર્ઝન 32 ટકા વધીને 45 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે 2021-22ની સીઝનમાં 34 લાખ ટન થયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow