મ્યાનમારના શરણાર્થી ઉગ્રવાદીઓ સાથે મળી ભારતમાં તસ્કરીમાં સામેલ

મ્યાનમારના શરણાર્થી ઉગ્રવાદીઓ સાથે મળી ભારતમાં તસ્કરીમાં સામેલ

મ્યાનમારના શરણાર્થી ભારતમાં તસ્કરીમાં પણ સંડોવાયેલા છે. પૂર્વોત્તરનાં ઉગ્રવાદી સંગઠનો સાથે મ્યાનમારના અમુક શરણાર્થી ભારતમાં દુર્લભ વિદેશી જીવ, ડ્રગ્સ અને વિદેશી સિગારેટ તસ્કરી કરીને લાવે છે. મ્યાનમાર સાથેની સરહદે જોડાયેલો મિઝોરમનો ચંપાઈ જિલ્લો વન્યજીવો સહિત અન્ય વસ્તુઓની તસ્કરી માટે મુખ્ય રૂટ બની ગયો છે.

મણિપુરનો મોરેહ પણ આ સિલસિલામાં ચર્ચામાં રહ્યો છે. 2020માં મિઝોરમમાં મ્યાનમારના માર્ગે 20.36 કિલો હેરોઈન પકડાયું હતું. જોકે 2021માં 34.52 કિલો હેરોઈન પકડાયું હતું.ચાલુ વર્ષના પ્રથમ છ માસિકગાળા દરમિયાન આશરે 20 કિલો હેરોઈન પકડાયું હતું. માદક પદાર્થ રાખવા અને તસ્કરી મામલે અત્યાર સુધી પકડાયેલા કુલ 374 લોકોમાં મોટા ભાગના મ્યાનમારના નાગરિકો છે.

મિઝોરમની પોલીસના ડીજી(હેડક્વાર્ટર) જોન નેઈહલિયાએ કહ્યું કે અમુક ડ્રગ્સ રેકેટે મિઝોરમના અનેક લોકોને તસ્કરીમાં સામેલ કરી લીધા છે. મ્યાનમારના શરણાર્થીઓની સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થનારા સ્થાનિક મિઝોરમના લોકોમાં મોટા ભાગે એવા લોકો છે જે ક્રાઈમથી કિનારો કરી ચૂક્યા છે.

મિઝોરમ અને મ્યાનમારની સરહદ પરસ્પર જોડાયેલી છે. મિઝોરમનાં સરહદી ગામડાંઓમાં રહેતા લોકો અને મ્યાનમારના આવનારા મોટા ભાગના શરણાર્થીઓ વચ્ચે જનજાતીય સંબંધ પણ છે. ચીન જેવા જનજાતીય સમૂહના પરસ્પર સંબંધો પણ છે. મ્યાનમારથી આવનારા આ લોકો મિઝોરમમાં રહેતા તેમના સંબંધીઓના નામે બેનામી જમીનો પણ ખરીદી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow