મ્યાનમારના શરણાર્થી ઉગ્રવાદીઓ સાથે મળી ભારતમાં તસ્કરીમાં સામેલ

મ્યાનમારના શરણાર્થી ઉગ્રવાદીઓ સાથે મળી ભારતમાં તસ્કરીમાં સામેલ

મ્યાનમારના શરણાર્થી ભારતમાં તસ્કરીમાં પણ સંડોવાયેલા છે. પૂર્વોત્તરનાં ઉગ્રવાદી સંગઠનો સાથે મ્યાનમારના અમુક શરણાર્થી ભારતમાં દુર્લભ વિદેશી જીવ, ડ્રગ્સ અને વિદેશી સિગારેટ તસ્કરી કરીને લાવે છે. મ્યાનમાર સાથેની સરહદે જોડાયેલો મિઝોરમનો ચંપાઈ જિલ્લો વન્યજીવો સહિત અન્ય વસ્તુઓની તસ્કરી માટે મુખ્ય રૂટ બની ગયો છે.

મણિપુરનો મોરેહ પણ આ સિલસિલામાં ચર્ચામાં રહ્યો છે. 2020માં મિઝોરમમાં મ્યાનમારના માર્ગે 20.36 કિલો હેરોઈન પકડાયું હતું. જોકે 2021માં 34.52 કિલો હેરોઈન પકડાયું હતું.ચાલુ વર્ષના પ્રથમ છ માસિકગાળા દરમિયાન આશરે 20 કિલો હેરોઈન પકડાયું હતું. માદક પદાર્થ રાખવા અને તસ્કરી મામલે અત્યાર સુધી પકડાયેલા કુલ 374 લોકોમાં મોટા ભાગના મ્યાનમારના નાગરિકો છે.

મિઝોરમની પોલીસના ડીજી(હેડક્વાર્ટર) જોન નેઈહલિયાએ કહ્યું કે અમુક ડ્રગ્સ રેકેટે મિઝોરમના અનેક લોકોને તસ્કરીમાં સામેલ કરી લીધા છે. મ્યાનમારના શરણાર્થીઓની સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થનારા સ્થાનિક મિઝોરમના લોકોમાં મોટા ભાગે એવા લોકો છે જે ક્રાઈમથી કિનારો કરી ચૂક્યા છે.

મિઝોરમ અને મ્યાનમારની સરહદ પરસ્પર જોડાયેલી છે. મિઝોરમનાં સરહદી ગામડાંઓમાં રહેતા લોકો અને મ્યાનમારના આવનારા મોટા ભાગના શરણાર્થીઓ વચ્ચે જનજાતીય સંબંધ પણ છે. ચીન જેવા જનજાતીય સમૂહના પરસ્પર સંબંધો પણ છે. મ્યાનમારથી આવનારા આ લોકો મિઝોરમમાં રહેતા તેમના સંબંધીઓના નામે બેનામી જમીનો પણ ખરીદી રહ્યા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow