ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં નરસંહાર કરવા સેના તૈયાર

ઈરાનમાં હિજાબના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળાએ એક પોલીસ ચીફની હત્યા કરી દીધી હતી. અધિકારીનું નામ કર્નલ અબ્દલ્લાહી છે. કુર્દીસ્તાનના મારિવનમાં પોલીસ તેમના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓ સામે ઓપરેશન ચલાવી રહી હતી.

મોરલ પોલીસની કસ્ટડીમાં કુર્દિશ યુવતી મહસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ અને સરકાર સામે લોકોનો ગુસ્સો ભડક્યો છે. 16 સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં રવિવાર સુધી 133 લોકોના મોત થયા છે.

ઈરાનમાં માનવઅધિકાર માટે કામ કરી રહેલા લોકોને ડર છે કે પોલીસ ચીફની હત્યા બાદ ઈરાની સેના IRGC (ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) નરસંહાર શરૂ કરી શકે છે. માનવઅધિકાર સમૂહ હેંગાવે જણાવ્યું કે તમામ કુર્દિશ પ્રભાવિત શહેરોને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.

નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ ગ્રૂપ અનુસાર, પ્રદર્શનમાં 133 પ્રદર્શનકારીઓની મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. મરનારની સંખ્યા આનાથી વધારે હોઈ શકે છે. જેમ મરનારની સંખ્યા વધી રહી છે, તેમ પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ વધી રહ્યો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow