શહેરોમાં બેરોજગારી ઘટી, ગામોમાં વધી, હરિયાણા-રાજસ્થાનમાં 28%થી વધારે

શહેરોમાં બેરોજગારી ઘટી, ગામોમાં વધી, હરિયાણા-રાજસ્થાનમાં 28%થી વધારે

દેશમાં ફેબ્રુઆરીમાં બેરોજગારી દર 7.45% રહ્યો હતો જે જાન્યુઆરીમાં 7.14% હતો. મહત્ત્વની વાત એ છે કે શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.55%થી ઘટીને 7.93% થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દર 6.45%થી વધીને 7.23% પર પહોંચ્યો છે. બેરોજગારી દર હજુ પણ શહેરમાં જ વધુ છે. CMIEના સરવે અનુસાર દેશમાં સૌથી વધુ બેરોજગારી રાજસ્થાન અને હરિયાણામાં છે. હરિયાણામાં 29.4% તેમજ રાજસ્થાનમાં 28.3% છે. છત્તીસગઢ (0.8%) અને મધ્યપ્રદેશ (2.0%) સૌથી સારી સ્થિતિમાં છે. એક અન્ય રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં ગ્રામીણ મહિલાઓની સ્થિતિ સારી રહી છે. શહેરની મહિલાઓમાં બેરોજગારી દર 27.9% હતો, જ્યારે ગ્રામીણ મહિલાઓમાં તે માત્ર 4.5% નોંધાયો હતો.

કેન્દ્ર અને રાજ્યમાં સરકારી નિયુક્તિઓ 1 વર્ષમાં 8% ઘટી, રાજ્યોમાં ભરતી કોવિડ પહેલાથી પણ ઓછી

  • કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના NPS ડેટા અનુસાર વર્ષ 2022માં કુલ 5,65,500 નવા સબસ્ક્રાઇબર્સ જોડાયા હતા. આ સંખ્યા 2021ની તુલનાએ 8% ઓછી છે.
  • કેન્દ્ર સરકાર તરફથી કુલ 1.18 લાખ નવા સબસ્ક્રાઇબર એનપીએસથી જોડાયા. તેમાં 65.2% લોકો 18થી 28 વર્ષની વચ્ચેના છે. 2021માં સરેરાશ 67.8% હતી.
  • રાજ્ય સરકારો તરફથી કુલ 4,47,480 નવા સબસ્ક્રાઇબર્સ જોડાયા. તેમાં 33% જ 18થી 28 વર્ષની વયજૂથના છે. આ સરેરાશ ગત વર્ષથી 2% વધી છે.

દુનિયાભરમાં આઇટી સેક્ટરમાં છટણી છતાં ભારતમાં ભરતી 10% વધી

નોકરી જોબસ્પીક અનુસાર ફેબ્રુઆરી, 2023માં ભારતમાં આઇટી સેક્ટરમાં ભરતીઓ ફેબ્રુઆરી 2022ની તુલનાએ 10% વધી છે. જ્યારે, દુનિયાભરના મુખ્ય દેશોમાં છટણી હજુ બંધ થઇ નથી. આ સેક્ટરમાં સૌથી વધુ માંગ વિશેષજ્ઞોની છે. જેમ કે - ડેટા એનાલિટિક્સ મેનેજર, બિગ ડેટા એન્જિનિયર, ક્લાઉડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર વગેરે. નેસકૉમ અનુસાર 2023માં ભારતના આઇટી સેક્ટરનું કદ 8.4% વધી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow