યુક્રેન : યુદ્ધ વચ્ચે એન્જિનિયરોના જૂથે 140 કિમીની રેન્જવાળી પ્રથમ હોમમેડ ક્રૂઝ મિસાઈલ તૈયાર કરી

યુક્રેન : યુદ્ધ વચ્ચે એન્જિનિયરોના જૂથે 140 કિમીની રેન્જવાળી પ્રથમ હોમમેડ ક્રૂઝ મિસાઈલ તૈયાર કરી

યુદ્ધ દરમિયાન જાનમાલના નુકસાન ઉપરાંત કરોડો રૂપિયા હથિયારો પર વેડફાય છે. જે દેશ યુદ્ધ શરૂ કરે છે તે તૈયારી સાથે આવે છે પરંતુ જે દેશ પર હુમલો થાય છે તેને આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. યુક્રેનની પરિસ્થિતિ પણ આવી જ છે, ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે યુક્રેનમાં આઠ એન્જિનિયરોના જૂથે ભંડોળ એકત્ર કરી યુક્રેનની પ્રથમ ઘરેલું ક્રૂઝ મિસાઈલ તૈયાર કરી છે. તેનું નામ ‘ટ્રેમ્બિતા’ રાખવામાં આવ્યું છે. તેને ‘પીપલ્સ મિસાઈલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેટ પલ્સ એન્જિન ધરાવતી આ મિસાઈલમાં ઈંધણ માટે 30 લિટરની ટાંકી છે, તે અડધો કલાક દૂર દુશ્મનોના ઠેકાણે હુમલો કરી શકે છે. પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર અકીમ ક્લેમેનોવનું કહેવું છે કે આ ક્રૂઝ મિસાઈલનો હેતુ રશિયાની સુરક્ષાને નબળી પડવાનો છે. દુશ્મનની સંરક્ષણ પ્રણાલીને સરળતાથી ખતમ કરવામાં સક્ષમ છે. ટ્રેમ્બીટાસને બેટરીમાં લોન્ચ કરવાની યોજના છે, જેમાં 20 કે 30 એકસાથે ફાયર કરવામાં આવશે.

કીન્ઝાલ અને કાલિનથી રશિયન સેના યુક્રેન પર હુમલો કરી રહી છે, જે લગભગ 8થી 16 કરોડ રૂપિયાની મિસાઇલો છે. તે જ સમયે, દસ ગણી ઓછી કિંમતની આ મિસાઇલ યુદ્ધમાં યુક્રેનની અર્થવ્યવસ્થાને સુધારવામાં મદદ કરી શકે છે. આ સ્વયંસેવક જૂથનું લક્ષ્ય દર મહિને 1000 ક્રૂઝ મિસાઈલ બનાવવાનું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow