ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ખાડામાં બાઇક સહિત બે યુવાન ખાબકતા ઇજા

ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ખાડામાં બાઇક સહિત બે યુવાન ખાબકતા ઇજા

ગોંડલમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસે પાણીની પાઇપ લાઈન લીકેજના પશ્નને લઈને સિમેન્ટ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે નગરપાલિકા તંત્રએ બે ઊંડા ખાડાઓ ખોદી નાખ્યા છે, અને ખાડાની આસપાસ સાઈન બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યા. મસમોટા ખાડા કે જેમાં નજીક માટી પાથરી દેવાઇ છે તેમાં એક બાઈક સવારમાં બે યુવાન બાઈક સહિત ખાબકયા હતા. બાઈક સવાર બન્નેને ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ સિવિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુંદાળા દરવાજા સાઈડ થી જેલ ચોક જવાના રોડ પર ક્યાંય સૂચના કે બોર્ડ રાખવામાં આવ્યા નથી. સદનસીબે યુવાનોને માત્ર ઇજા થવા પામી હતી.

રોડની એક જ બાજુ બોર્ડ , બીજી તરફ રેઢાપડ!
તંત્ર દ્વારા આડેધડ રોડનું ખોદકામ કરીને રોડ બંધ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ રોડની બન્ને બાજુ સૂચના કે બોર્ડ રાખવાના બદલે એક સાઈડ જ સૂચન બોર્ડ રાખવામાં આવ્યા છે અન્ય સાઈડ ખુલ્લું રાખવામાં આવ્યું છે, બંને તરફ બોર્ડ મુકવા જરૂરી છે.

ગુંદાળા દરવાજે આ જ સ્થિતિ !
ગુંદાળા દરવાજા પાસે પણ ખોદકામ કરાઇ રહ્યું છે. તો જેલ ચોકથી વાહનોને ડાયવર્ઝન આપી દેવાયું છે. જો અહીં પણ બોર્ડ કે દિશાસૂચન મૂકવામાં તંત્રની ઢીલી નીતિ હોઈ તેવું લાગી રહ્યું છે. આ બન્ને ખાડામાં અકસ્માતે કોઇ પડશે અને મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની ?

ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે એકાદ દિવસમાં પાઈપ રીપેરીંગનું કામ પૂર્ણ થઈ જશે અને ખોદકામ જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ બંને સાઈડ રોડ બંધ પણ કરવામાં આવ્યો છે અને નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટના બની તે દુઃખદાયી છે. ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે એકાદ દિવસમાં પાઈપ રીપેરીંગનું કામ પૂર્ણ થઈ જશે અને ખોદકામ જ્યાં ચાલી રહ્યું છે તે જગ્યાએ બંને સાઈડ રોડ બંધ પણ કરવામાં આવ્યો છે અને નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટના બની તે દુઃખદાયી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow