ઈમરાન ખાન સામે કાર્યવાહીના મુદ્દે પાકિસ્તાનની સેનામાં બે ભાગલા

ઈમરાન ખાન સામે કાર્યવાહીના મુદ્દે પાકિસ્તાનની સેનામાં બે ભાગલા

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ- ઇન્સાફ (પીટીઆઇ) તેમજ તેમના સમર્થકો સામે કાર્યવાહીને લઇને હવે સેનાની અંદર પણ ધીમે ધીમે સવાલ ઊઠવા લાગ્યા છે. હવે સેનાની અંદર પણ પ્રશ્નો થવા લાગ્યા છે. ઇમરાનની ધરપકડ બાદ નવમી મેના દિવસે દેશમાં કેટલીક જગ્યાએ સૈન્ય સ્થળો પર થયેલા હુમલા કોઇ કાવતરાના ભાગ તરીકે તો ન હતા તેવા સવાલ થઇ રહ્યા છે.

ઇમરાનની વધતી જતી લોકપ્રિયતા અને સેના પર તેમના પ્રહારો પર અંકુશ મૂકવા માટે સેનાએ આ હુમલા કરાવ્યા હતા તેવા પ્રશ્ન પણ થવા લાગ્યા છે. કારણ જે પણ હોય સૈન્ય સ્થળો પર પીટીઆઇના સીધા હુમલા બાદ ખતરો હવે સેનાની નજીક આવી ગયો છે.

સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે સેનાનાં સ્થળોમાં તોડફોડને રોકવામાં નિષ્ફળતા માટે સેનાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. લોકોની નારાજગીને દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. મુનીરે એક લેફ્ટેનન્ટ જનરલ સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત ત્રણ મેજર જનરલ અને સાત બ્રિગેડિયર સહિત 15 અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આના કારણે જનતા અને સેનામાં અસંતોષનું મોજુ શાંત થયું નથી. એક નિષ્ણાતે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે સેનામાં જુનિયર અધિકારીથી લઇને બ્રિગેડિયર સુધી અસંતોષનું મોજું પ્રવર્તી રહ્યું છે. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે કાયદાનો ભંગ આ રીતે માર્શલ લાૅ દરમિયાન પણ કરાયો ન હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow