ટ્વિટર બ્યૂના 8 ડોલરના પ્લાન કરતા પણ મોંઘુ હશે, કંપનીની 90% કમાણી એડથી છે

ટ્વિટર બ્યૂના 8 ડોલરના પ્લાન કરતા પણ મોંઘુ હશે, કંપનીની 90% કમાણી એડથી છે

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્ક ઝીરો એડ હાયર-પ્રાઈસ્ડ સબ્સક્રિપ્શન મોડલને રોલઆઉટ કરવા જઈ રહ્યા છે. મસ્કે કહ્યું, ટ્વિટર પર એડ ઘણી ફ્રીકવેન્ટ અને ઘણી મોટી છે. આગામી અઠવાડિયામાં આ બંનેને ધ્યાને લઈ પગલા ભરવામાં આવશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે, સબ્સક્રિપ્શન મોડલની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવશે અને કંઈ તારીખ સુધી રોલ આઉટ કરવામાં આવશે.

ટ્વિટર તેના રેવેન્યૂના લગભગ 90% એડથી કમાણી કરે છે. ઓક્ટોબરમાં મસ્કના ટ્વિટર ટેકઓવર બાદથી જ કંપનીના એડ રેવેન્યૂમાં ઝડપથી ઘટાયો નોંધાયો છે. ઈન્ફોર્મેશનના પ્રકાશિત તાજેતરના રિપોર્ટ મુજબ, છેલ્લા મંગળવારે ડેઇલી રેવેન્યૂ એક વર્ષ અગાઉથી આ દિવસે 40% ઓછું હતું. ત્યારે મસ્કે રેવેન્યૂમાં ઘટાડા માટે રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન્સને જવાબદાર ગણાવ્યા હતા, જેમને એડ રોકવા માટે બ્રાન્ડો પર દબાણ કર્યું હતું.

બ્લૂનો સસ્તો એન્યુઅલ પ્લાન...
આ અગાઉ ટ્વિટરે તેના બ્લૂ સબ્સક્રિપ્શન માટે નવો વાર્ષિક પ્લાન જાહેર કર્યો હતો. આ પ્લાન માસિક પ્લાનની સરખામણીમાં સસ્તો છે. ટ્વિટર બ્લૂના મંથલી પ્લાનની કિંમત 8 ડોલર છે. પરંતુ એન્યુઅલ પ્લાન 84 ડોલરમાં ખરીદી શકાય છે. એટલે વાર્ષિક પ્લાન પર 22 ડોલરની બચત થશે. તેમાં અમેરિકા, યૂનાઈટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સામેલ છે.

એપલ સ્ટોર પર એન્યુઅલ પ્લાન ઉપલબ્ધ નથી
એપલના IOSના માધ્યમથી ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન ખરીદવાનાર યૂઝર્સ માટે કિંમત 11 ડોલર પ્રતિ મહિના છે. IOA પર એન્યુઅલ પ્લાન ઉપલબ્ધ નથી. બ્લૂ સબ્સક્રિપ્શન સાથે, બ્લૂ ચેકમાર્ક સહિત થોડી અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. જોકે બ્લૂ ચેકમાર્ક પ્રોફાઈલ પર દેખાવામાં સમય લાગી શકે છે કેમકે, તેને રિવ્યૂ બાદ જ આપવામાં આવે છે. ત્યારે નવા બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ડ પર 90 દિવસ સુધી બ્લૂ સબ્સક્રિપ્શન નથી લઈ શકતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow