સનાતન ધર્મના પ્રચાર માટે 101 દેશમાં યાત્રા

સનાતન ધર્મના પ્રચાર માટે 101 દેશમાં યાત્રા

નવી પેઢી અને વિદેશના લોકો ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનું મહત્ત્વ સમજે તે માટે હિંદુત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદેશની ધરતી પર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા અયોધ્યાથી શરૂ થઈ છે અને વિશ્વના 101 દેશોમાં ફરશે. જ્યાં હિંદુ ધર્મની સસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 12 દેશમાં આ યાત્રા ફરી ચૂકી છે. 3 વર્ષ બાદ લંડન ખાતે ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે. કુલ 45 હજાર કિલોમીટરની રથયાત્રા છે.

આ અંગે વધુ માહિતી આપતા આયોજક જણાવે છે કે, અત્યારે સુધી યાત્રા સિંગાપોર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર, ભુતાન, બર્મા સહિત કુલ 12 દેશમાં ફરી ચૂકી છે. રાજકોટ-ભારતથી 15 લોકો જોડાયા છે. યાત્રા દરમિયાન ધાર્મિક ગ્રંથનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિદેશમાં જ્યાં જ્યાં ગયા ત્યાંથી પણ લોકોએ અમારી સાથે જોડાવવા માટેની તૈયારી બતાવી હતી. યાત્રા રોજનું 30થી 50 કિમીનું અંતર કાપી રહી છે. યાત્રા પૂર્ણ થયા બાદ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવવાની તૈયારી કરવામાં આવશે.

જોકે વિદેશની ધરતી પર આ રથયાત્રા પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર ત્યાનું વાતાવરણ છે. જ્યાં ઠંડી, વરસાદ સૌથી વધુ હશે ત્યાં હોલ્ટ પણ કરવો પડી શકે છે. તેમજ ભોજનની કોઈ તકલીફ ન પડે એ માટે ભોજન તેમજ જરૂરી સામગ્રી સાથે લઈ જવામાં આવી છે. રાજકોટથી યાત્રા અયોધ્યા પહોંચી હતી અને ત્યાંથી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow