વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ

આજના સમયમાં માથામાં ટાલ, વાળ ખરવા, શુષ્ક વાળ, ખોડો આ બધી સમસ્યા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પુરુષ હોય કે મહિલા લગભગ દરેક વ્યક્તિમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે, તમે ઘણીવાર જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા બાદ માથામાં ટુવાલ બાંધી લે છે. જો મહિલાને પૂછવામાં આવે કે તેઓ વાળ ધોયા બાદ ટુવાલ શા માટે બાંધે છે, તો એક જ જવાબ મળે છે કે, તેનાથી વાળ જલ્દી સુકાઈ જાય છે. બીજી બાજુ જોવા જઈએ તો ડોક્ટર આ પ્રકારે કરવાની બિલકુલ પણ ના પાડે છે. આ પ્રકારે કરવાથી વાળને અનેક પ્રકારના નુકસાન થાય છે.

જે મહિલાઓ વાળ ધોયા બાદ ટુવાલ બાંધે છે, તેની જગ્યાએ હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. જેનાથી વાળ જલ્દી સુકાઈ જશે અને ટાલમાં પણ પોષણ પહોંચશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાળ ધોવા જોઈએ. જો તમારા વાળ લાંબા હોય તો વારંવાર વાળ ધોવાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.

વાળ ધોયા બાદ ટુવાલ બાંધવામાં આવે તો શું નુકસાન થાય છે?

  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ વધુ સમય સુધી ભીના રહે છે, જેના કારણે ખોડો થવાની સંભાવના વધી જાય છે.
  • વાળ ધોયા બાદ ટુવાલ બાંધવાથી ટાલમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે, જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે.
  • જે લોકોને વાળ ખરવાની સમસ્યા છે તેમણે વાળ ધોયા બાદ બિલકુલ પણ ટુવાલ ના બાંધવો જોઈએ. આ પ્રકારે કરવાથી વાળ ખરવાની સમસ્યા‌ વધી જાય છે.
  • ભીના વાળમાં ટુવાલ બાંધવાથી વાળ જડમૂળથી નબળા પડી જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.
  • વાળ બાંધવાથી વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેનાથી પ્રાકૃતિક શાઇનિંગ જતી રહે છે.
  • ડોક્ટર જણાવે છે કે, અઠવાડિયામાં વાળમાં બેથી ત્રણ વખત તેલથી મસાજ કરવું જોઈએ. જેનાથી તમારા વાળમાં નેચરલ શાઇનિંગ આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow