સરકારનું કુલ દેવું Q2માં વધીને રૂપિયા147 લાખ કરોડે આંબ્યું

સરકારનું કુલ દેવું Q2માં વધીને રૂપિયા147 લાખ કરોડે આંબ્યું

ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરના અંતે સરકારનું દેવું વધીને રૂ.147.19 લાખ કરોડ નોંધાયું છે. જે અગાઉ જૂનના અંતે રૂ.145.72 લાખ કરોડ રહ્યું હતું. ટકાવારીની દૃષ્ટિએ તેમાં બીજા ક્વાર્ટર દરમિયાન 1 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર, 2022ના અંતે કુલ દેવામાં જાહેર દેવુ 89.1 ટકા નોંધાયું હતું જેમાં જૂનની તુલનાએ 88.3 ટકાનો વધારો થયો હતો.

નાણા મંત્રાલય દ્વારા પબ્લિક ડેટ મેનેજમેન્ટ પર રિલીઝ ક્વાર્ટરલી રિપોર્ટ અનુસાર અંદાજે 29.6 ટકા જેટલી ડેટ સિક્યોરિટીઝની મેચ્યોરિટીનો સમયગાળો 5 વર્ષ કરતાં પણ ઓછો હતો. બીજા ક્વાર્ટર દરમિયાન સરકારે બોરોઇંગ કેલેન્ડરમાં નોટિફાઇડ રૂ.4,22,000 કરોડની સામે રૂ.4,06,000 કરોડ ડેટ સિક્યોરિટીઝ મારફતે એકત્ર કર્યા હતા.

જ્યારે તેની સામે રૂ.92,371.15 કરોડની પુન:ચૂકવણી કરવામાં આવી હતી. પ્રાઇમરી ઇસ્યુઅન્સની સરેરાશ યીલ્ડ પણ વધીને નાણાકીય વર્ષ 2023ના Q2માં 7.33 ટકા રહી હતી. નવી ઇસ્યુઅન્સની સરેરાશ મેચ્યોરિટી Q1ના 15.69 વર્ષના બદલે Q2માં 15.62 વર્ષ હતી.

લાંબા સમયગાળા માટે યીલ્ડમાં આંશિક રાહત
ટૂંકા ગાળાના ફુગાવા તેમજ લાંબા સમયગાળા માટે યીલ્ડમાં આંશિક રાહત છતાં લિક્વિડિટીની ચિંતાને કારણે સેકન્ડરી માર્કેટમાં સરકારી સિક્યોરિટીઝના ગ્રાફમાં વધારો જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટર દરમિયાન ફુગાવાને અંકુશમાં રાખવા માટે RBIએ રેપોરેટમાં 100 બીપીએસનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જે 4.90 ટકાથી વધારીને 5.90 ટકા કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝમાં કોમર્શિયલ બેન્કનો હિસ્સો સપ્ટેમ્બર,2022ના અંતે 38.3 ટકા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow