ઢોરને બીજાની વાડીમાં છૂટા મૂકી ભેલાણ કરતા પિતા-પુત્ર સામે ત્રણ ગુના નોંધાયા

ઢોરને બીજાની વાડીમાં છૂટા મૂકી ભેલાણ કરતા પિતા-પુત્ર સામે ત્રણ ગુના નોંધાયા

રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લુખ્ખાઓની દાદાગીરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ તાલુકાના પાડાસણ ગામે ભયનો માહોલ ફેલાવી ગ્રામજનોને ધાકધમકીઓ દેતા ગેલા રાજા મુંધવા અને તેના દીકરા મનીષ સામે પોલીસે ત્રણ ગુના નોંધી કાર્યવાહી કરી છે.

પાડાસણ ગામે ગેલા ભરવાડ અને તેનો દીકરો ગામના વાડી-ખેતરોમાં તેમના ઢોરને છૂટા મુકી ભેંલાણ કરતા હોવાની અને આ મુદ્દે પિતા-પુત્રને સમજાવવા જતા બંને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગામમાં ભયનો માહોલ ફેલાવતા હોવાની પોલીસના ઉચ્ચ અધિકારીને ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

જેને પગલે તપાસના આદેશ કરતા આજી ડેમ પોલીસની તપાસમાં ગામમાં લુખ્ખાગીરી આચરી ધમકીઓ દેતા પિતા-પુત્રે 23 દિવસમાં ત્રણ વાડીમાં તેમના ઢોર છૂટા મૂકી ધાણા, તુવેર, કપાસને મોટુ નુકસાન પહોંચાડયાનું તેમજ ભેલાણ કર્યા અંગેની તેમને વાત કરવા જતા કુંડળીવાળી લાકડી બતાવી ગ્રામજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બાધુભાઇ રામજીભાઇ મુંગપરા, બાધુભાઇ શામજીભાઇ વઘાસિયા, વીરજીભાઇ અરજણભાઇ વઘાસિયાની ફરિયાદ નોંધી છે.

ફરિયાદને પગલે પોલીસની ટીમ લુખ્ખાગીરી આચરનાર પિતા-પુત્રને પકડવા તેના ઘરે જતા બંને નાસી ગયા હતા. પોલીસ તપાસમાં પિતા-પુત્રે તેમના મકાનમાં લંગરિયા નાંખી વીજ કનેકશન મેળવ્યું હોવાનું જાણવા મળતા લાઇટ કનેક્શન કાપી નાખ્યું હતું. તેમજ તેના ઘરમાંથી કેટલોક સામાન મળી આવતા પોલીસે તે કબજે કર્યો છે. પોલીસે ભરવાડ પિતા-પુત્રના ઢોરને પણ કબજે કરવા કાર્યવાહી કરી છે.

મારામારીના અન્ય એક બનાવમાં ગોંડલ રોડ, લોધેશ્વર સોસાયટી-2-6માં રહેતા માધવભાઇ ગાંડુભાઇ મોટલિયા નામના પ્રૌઢે અંકુશ કરમસીંગ જરિયા, નટુ કરમસીંગ જરિયા, વિવેક યોગેશ જરિયા, કમલેશ દીપક જરીયા, પ્રકાશ ભરત જરીયા, દિપક કરમસીંગ જરીયા અને મહેશ ઉમેદ જરીયા સામે પોતાને તેમજ પુત્રને માર માર્યાની તેમજ ઘર પર પથ્થરમારો કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શેરીમાં છોકરાઓ બપોરે રમતા હોય તેમને ઘરે જતા રહેવાનું કહ્યાનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી માર માર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow