કિડનીની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લેનાર પ્રૌઢને ધમકી

કિડનીની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લેનાર પ્રૌઢને ધમકી

જામનગર રોડ, પરસાણાનગર-9માં રહેતા ધીરજલાલ અરજણભાઇ કબીરા નામના પ્રૌઢે રાજકોટના નિલેશ જોશી, તેના ભાઇ વિશાલ જોશી, રૂમેશ સવજી પરસાણા અને દીપક શંકર ગોહેલ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રૌઢની ફરિયાદ મુજબ, 2018માં તેમની બંને કિડની ફેલ થઇ જતા તેની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થઇ હતી. જેથી નિલેશ અને વિશાલ પાસેથી રૂ.5 લાખ, રૂમેશ પરસાણા પાસેથી રૂ.8 લાખ અને દીપક ગોહેલ પાસેથી રૂ.1.50 લાખ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજે રૂપિયા લીધા બાદ તમામને સમયસર વ્યાજની રકમ ચૂકવતો હતો. દરમિયાન કોરોનાનો કપરો કાળ આવતા આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ જતા પોતે ચારેય શખ્સને રકમ ચૂકવી શકતા ન હતા.

જેને કારણે ચારેય વ્યાજખોર રોજ ફોન પર તેમજ ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડી ધમકી આપતા રહેતા હતા. એટલું જ નહિ નિલેશ અને તેના ભાઇ વિશાલે પોતાના મકાનના સાટાખત પણ કરાવી લીધા હતા. જે તે સમયે બંને ભાઇઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા તે સમયે સહી કરેલા કોરા ચેક લીધા હતા. જે ચેક જાણી જોઇને બેંકમાં નાંખી ચેક બાઉન્સ કરાવી પોતાના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. અંતે કંટાળીને પ્રૌઢે ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow