પૂર્વ રાષ્ટ્રપતિના હજારો સમર્થકો સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યાI’m

પૂર્વ રાષ્ટ્રપતિના હજારો સમર્થકો સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યાI’m

બ્રાઝિલમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકો પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા હતા. આ લોકોએ તોડફોડ કરી હતી. પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી છે.

સરકારી ઈમારતોમાં ઘૂસેલા તત્વોને પોલીસે બહાર કાઢી મૂક્યા છે. સરકારે કહ્યું કે આ અચાનક હુમલા જેવું હતું. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ બનેલા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ હુમલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.

બ્રાઝિલની મુખ્ય સરકારી ઈમારતોમાં જે રીતે હિંસા થઈ હતી, તેવી જ હિંસા 2 વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ થઈ હતી. ત્યારબાદ ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા. ત્યાં પણ તોડફોડ થઈ હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ હિંસા માટે ટ્રમ્પને જ જવાબદાર ઠેરવ્યા હતા. બ્રાઝિલના ન્યાય પ્રધાન ફ્લાવિયો ડીનોએ કહ્યું, "ઇન્ટરનેટ પર હજુ પણ એવા લોકો છે જેઓ કહી રહ્યા છે કે આવી આતંકવાદી ઘટનાઓ બંધ નહીં થાય. પરંતુ અમે તેમને એવું કરવા દઈશું નહીં. તેઓ બ્રાઝિલના લોકતંત્રને નષ્ટ કરી શકશે નહીં. અમે રાજકીય સંઘર્ષને અપરાધના રસ્તે નહીં જવા દઈએ. ગુનેગારો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow