આ શિયાળામાં ગાજરનો હલવો નહીં ગાજરના પરાઠા ખાઓ, નોટ કરી લો રેસીપી

આ શિયાળામાં ગાજરનો હલવો નહીં ગાજરના પરાઠા ખાઓ, નોટ કરી લો રેસીપી

જ્યારે શિયાળાની સિઝન આવે છે ત્યારે બજારમાં ગાજરની અઢળક ગાજર જોવા મળે છે અને કેટલાક લોકો તો ઠંડીની એટલે રાહ જુએ છે કે તેમને ગાજર ખાવા મળે.આપણે બધા જાણીએ છીએ કે ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગાજરનો હલવો, ખીર અને અથાણું ખાવાનું દરેક લોકોને પસંદ છે અને ગાજરનો રસ આંખો માટે ખૂબ જ ફાયદાકારક પણ ગણવામાં આવે છે. જણાવી દઈએ કે આ સાથે જ ગાજરની એકથી વધુ રેસિપી બનાવી શકાય છે અને આજે અમે તમને ગાજરના પરાઠા બનાવવાની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શિયાળામાં હલવો, ખીર અને અથાણું સિવાય તમે ગાજરના પરાઠા પણ બનાવી શકો છો. આજે અમે તમને ગાજરના પરાઠા બનાવવાની રેસીપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ..

સામગ્રી
ગાજર - 3 થી 4
લોટ - 2 કપ
લીલા મરચા - 2 ઝીણા સમારેલા
લાલ મરચું પાવડર - 2 ચમચી
જીરું પાવડર - 1/2 ચમચી
આદુની પેસ્ટ
કોથમીર
અજવાઈન - 1/2 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ - તળવા માટે

ગાજરના પરાઠા બનાવવાની રેસીપી
ગાજરના પરાઠા બનાવવા માટે ગાજરને સારી રીતે સાફ કર્યા પછી તેની છાલ ઉતારી લો.
આ પછી ગાજરને છીણી લો અને એ પછી છીણેલા ગાજરને એક વાસણમાં લઈને તેમાં ઘઉંનો લોટ ઉમેરો.
એ પછી ઝીણા સમારેલા લીલા મરચાં, જીરું પાઉડર, લાલ મરચું, બારીક સમારેલા આદુનો ટુકડો, ધાણાજીરું, મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
એ પછી તે મિશ્રણમાં થોડું તેલ નાખો અને મિક્સ કરી લો.  
હવે આ મિશ્રણને લોટની જેમ સારી રીતે મસળી લો અને જો ગાજરનું પાણી ઓછું લાગે તો થોડું હૂંફાળું પાણી ઉમેરીને લોટ બાંધો. આ વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લોટ ભીનો ન થાય તેથી પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખો, એ પછી 5 મિનિટ માટે તેને થોડા સમય સુધી રાખો.
એ પછી તેના પરાઠા બનાવો અને ગેસ પર રોલ કરેલો પરાઠા મૂકો. તેલ અથવા દેશી ઘીની મદદથી તેને પકાવી લો.
ગરમ પરાઠા તૈયાર છે, તમે તેને ચટણી અથવા અથાણાં સાથે ખાઈ શકો છો.

ગાજર કેટલું ફાયદાકારક છે
ગાજરમાં એસિડ ઘટકો હોય છે જે શરીરમાં રહેલા એસિડને સંતુલિત કરીને લોહીને શુદ્ધ કરે છે, આ સાથે જ ગાજરમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ગાજર ખાવાથી વાળ, આંખો અને ત્વચા તંદુરસ્ત બને છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow