રશિયાની આ ભુરીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી

રશિયાની આ ભુરીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી

દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ઘણા કિસ્સાઓ સાંભળીને આપણે હચમચી જતા હોય એ છીએ. ત્યારે આજે આપણે એક તેવા જ કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક રશિયાની યુવતીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી લીધી છે. જેના ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

તો ચાલો જાણીએ રશિયાની યુવતીએ શા માટે પોતાના મુસ્લિમ પતિને મૂકી દીધો. આ રશિયાની યુવતીની બે કહાનીઓ છે. જેમાંથી પહેલી કહાનીની વાત કરીએ તો તેનો મુસ્લિમ પતિ તેને વારંવાર ઇસ્લામ કબુલ કરવા માટે દબાણ કરતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ પોતાના મુસ્લિમ પતિને મૂકી દીધો હતો. પોતાના પતિથી અલગ થયા બાદ રશિયાની યુવતી ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત બની ગઈ હતી.

ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિના કારણે રશિયાની યુવતી પોતાના મુસ્લિમ પતિ સાથે છૂટાછેડા પણ કરી લીધા હતા. રશિયાની યુવતીને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિની એવી લગની લાગી કે તે પોતાનો દેશ છોડીને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં રહેવા માટે આવી ગઈ. અહીં યુવતી ને એક ભારતીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને ત્યારબાદ બંને સગાઈ પણ કરી લીધી છે.

હાલમાં બંનેની સગાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. રશિયા થી ભારત આવેલી યુવતીનું નામ સ્વેત્લાના ઓચિલોવા છે અને તે એક ગ્રાફિક્સ ડિઝાઈનર છે. તેણીએ સૌપ્રથમ એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક પુત્ર પણ છે. પરંતુ લગ્ન બાદ સ્વેત્લાના ઓચિલોવાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ લાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર વર્ષ 2012માં તે પ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોને મળી હતી અને ત્યારબાદ તેને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો રંગ લાગી ગયો હતો. જેના કારણે તેને પોતાના પતિ સાથે ઝઘડો પણ થવા લાગ્યો હતો. તેને પોતાના પહેલા પતિ વિશે વાત કરતા જણાવ્યું કે, તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી નફરત કરતો હતો. આટલું જ નહીં પરંતુ ભગવાનના ભક્તોને મળવાથી પણ રોકતો હતો અને ઘણી વખત મારી ધુલાઈ પણ કરતો હતો.

તે મને ઇસ્લામ સ્વીકારવા માટે સતત દબાણ કરતો હતો. પતિ સાથે થતા અવારનવાર ઝઘડાઓના કારણે સ્વેત્લાના ઓચિલોવા કંટાળી ગયા અને તેને પોતાના પતિનું ઘર મૂકી દીધું હતું. ત્યારબાદ તે પોતાના માતા પિતા સાથે રહેવા લાગી હતી. 2016માં તેને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના માર્ગે આગળ જવાનું નક્કી કર્યું હતું અને એક વર્ષ સુધી તે પોતાના પતિથી અલગ રહી હતી.



Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow