ત્રીજા ક્વાર્ટરનો આર્થિક વિકાસ 5%થી નીચે

ત્રીજા ક્વાર્ટરનો આર્થિક વિકાસ 5%થી નીચે

દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. 2022-23ના નાણાવર્ષમાં ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં 4.4 ટકા આર્થિક વિકાસદર નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ દર 11.2 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા જીડીપી વૃદ્ધિદર નોંધાયો હતો. વિકાસદરમાં ઘટાડાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પરિણામો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ સેક્ટરમાં 1.1 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે 31 માર્ચે પૂરા થઈ રહેલા નાણાવર્ષમાં વિકાસદર 7 ટકા રહેશે એવો અંદાજ છે. દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર 7 ટકા તથા આઇએમએફે 6.8 ટકાનો વિકાસદર નોંધાવશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આંકડાઓ અનુસાર કૃષિ, કન્સ્ટ્રક્શન, સેવાઓ અને રિયલ એસ્ટેટ સેક્ટરે અપેક્ષા કરતા વધુ સારો દે‌ખાવ કર્યો છે. આ પહેલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા વિકાસદર હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 13.5 ટકાના દરે આર્થિક વિકાસ નોંધાયો હતો. જ્યારે 2021-22 માટે દેશના આર્થિક વિકાસનું અનુમાન 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે વૃદ્ધિદરમાં ઘટાડાનો અંદાજ અગાઉથી હતો. કારણ કે કોવિડ બાદ ઝડપી ગ્રોથ નોંધાયો હતો. હવે ધીમે ધીમે અર્થતંત્ર સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow